February 5, 2026
દેશ

રાજસ્થાનમાં ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ અપાશે: અશોક ગેહલોત

ગુજરાત સહિત આખા ભારતમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આવામાં કોરોનાના નવા સ્ટ્રેનેના કારણે લોકોમાં વધુ ફફડાટ છે. ત્યારે રાજસ્થાનની ગેહલોત સરકારે પ્રવાસીઓ માટે મહત્વપૂર્ણ લીધો છે. રાજસ્થાન સરકારે ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરી શકશે તેવો નિયમ બનાવ્યો છે

રાજસ્થાન સરકારે પોતાના રાજયમાં કોરોના વાઇરસને અટકાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજસ્થાન આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના રિપોર્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જેથી ગુજરાતીઓએ રાજસ્થાન કામ કે ફરવા માટે જવું હોય તો પહેલા કોરોના વાઇરસનો ટેસ્ટ કરાવવાનો રહેશે. રાજસ્થાન સરકારના આ નિર્ણયના પગલે અરવલ્લીની ગુજરાત-રાજસ્થાન ચેકપોસ્ટ પર પ્રવાસીઓ મૂંઝાયા છે.

રાજસ્થાન સરકારે ૭૨ કલાક અગાઉનો RT-PCR રિપોર્ટ નેગેટિવ હોય તો જ પ્રવેશ કરશે તેવો નિયમ બનાવ્યો છે. ગુજરાતીઓેને હવે RT-PCR રિપોર્ટ વગર રાજસ્થાન રાજયમાં પ્રવેશ નહી મળે.

આ માટે રાજસ્થાન સરકાર દ્વારા તાત્કાલિક અસરથી ચેકપોસ્ટ પર તપાસ શરૂ થશે. રાજસ્થાન સરકારે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, હરિયાણા, મધ્યદેશ રાજયોના વાસીઓ માટે નિર્ણય કરાયો છે.

Related posts

મંગળવારના રોજ જ્યારે શેર બજાર ખુલશે ત્યારે આ કંપનીઓના શેરના ભાવમાં મોટી હિલચાલ જોવા મળી શકશે

Ahmedabad Samay

ભારતના વીર સપૂત શેરસિંહ રાણા, જાણો શા માટે છે શેરસિંહ રાણા પ્રખ્યાત

Ahmedabad Samay

પુલવામા જેવો મોટો હુમલો ટળ્યો, સેનાએ આંતકીઓ નો પુલવામા જેવો અટેક ને નાકામ કર્યો

Ahmedabad Samay

હવે 12થી 18 વર્ષના બાળકોને આપી શકાશે વેક્સિન

Ahmedabad Samay

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાનો વિષય બન્યો

Ahmedabad Samay

અર્નબ ૧૮ નવેમ્બર સુધી જયુડિશિયલ કસ્ટડીમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો