June 23, 2026
Other

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા રોજગાર બંધ રહેશે.

કોરોના મહામારી વધતા અમદાવાદમાં રેસ્ટોરા, મોલ, શો રૂમ અને પાનની દુકાન તેમજ ક્લબને બંધ રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂનને પણ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ થતા વેપારી-લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે જ્યા સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે તે આઠ વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે

Related posts

દુઃખદ અવસાન

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા કુંદન કેબલ નામની કંપનીના બનાવટી કેબલો બનાવતા આરોપીની કરી ધરપકડ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં પતિના જાણ બહાર પત્‍નીની બીજા લગ્ન કરાવતા જમાઇએ સાસુની હત્યા કરી

Ahmedabad Samay

લ્યો બોલો નરોડા પોલીસ સ્‍ટેશનની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો