અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા રોજગાર બંધ રહેશે.
કોરોના મહામારી વધતા અમદાવાદમાં રેસ્ટોરા, મોલ, શો રૂમ અને પાનની દુકાન તેમજ ક્લબને બંધ રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂનને પણ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ થતા વેપારી-લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.
અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે જ્યા સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે તે આઠ વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે
