વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા એક એવા વ્યક્તિત્વ કે જેમને 4000થી વધારે જ્ઞાતિનો ઈતિહાસ મોઢે છે. એક એવું વ્યક્તિત્વ કે જેમણે કોઈપણ સમાજના ઊંચ નીચ ના ભેદભાવ વગર સરકારમાં રહી અને દરેક સમાજ માટે એક ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. જેમણે સરકારમાં રહી 20 વર્ષથી એકજ ખાતું સમાજ કલ્યાણ અધિકારી IAS (સચિવ) તરીકે નિષ્ઠાપૂર્વક ઉમદા કાર્ય કર્યું છે. એવા જ્ઞાની મહાપુરુષ કે.જી.વણઝારા સાહેબની તેમજ ડી.જી.વણઝારા સાહેબ ના નિવાસ્થાને સામાજીક ઉત્થાન હેતુ શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.

કે.જી.વણઝાર સાહેબે શ્રીમદ્ ભગવત ગીતા, રામાયણ, ૪ વૈદો, ૧૮ પુરાણો, તેમજ હિન્દુ, મુસ્લિમ શીખ, christian ને લગતા તમામ ધર્મગ્રંથ તેમજ હિસ્ટોરિકલ પુસ્તકોનો સચોટ અભ્યાસ કર્યોછે જેમની પાસે અભૂતપૂર્વ જ્ઞાનનો ખજાનો છે એવા વિશેષ વ્યક્તિને સમસ્ત વણઝારા પરિવારે લાખ લાખ વંદન કર્યા હતા.
