March 25, 2026
Other

દિલ્હી વિધાનસભા ઇલેક્શન જાહેર, ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે

દિલ્‍હી વિધાનસભા ચૂંટણીમાં ૬૯૯ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાના છેલ્લા દિવસે કુલ ૨૦ ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્‍યા હતા. તપાસ બાદ, શનિવારે ૭૧૯ ઉમેદવારોના નામાંકન સાચા મળી આવ્‍યા. બાહ્‍ય દિલ્‍હીના મુંડકા અને નાંગલોઈ જાટ વિધાનસભા મતવિસ્‍તારમાંથી મહત્તમ ત્રણ ઉમેદવારોએ તેમના નામાંકન પાછા ખેંચી લીધા છે. ૫૭ વિધાનસભા મતવિસ્‍તારમાંથી કોઈ ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચ્‍યું નથી.

૫ વર્ષ પહેલા એટલે કે ૨૦૨૦ માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કુલ ૬૬૮ ઉમેદવારોનું ભાવિ EVM માં સીલ થયું હતું. એટલે કે આ વખતે કુલ ૩૧ વધુ ઉમેદવારો મેદાનમાં છે. ગઈ વખતે પણ સૌથી વધુ ઉમેદવારો નવી દિલ્‍હી વિધાનસભામાં હતા. ત્‍યારે દિલ્‍હીની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક પર અરવિંદ કેજરીવાલ સહિત ૨૯ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્‍યું હતું. ૨૦૧૫ની ચૂંટણીમાં ૬૭૩ ઉમેદવારો હતા. આનો અર્થ એ થયો કે છેલ્લી ત્રણ ચૂંટણીઓની સરખામણીમાં આ વખતે સૌથી વધુ ઉમેદવારો ચૂંટણી લડશે.

નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારમાંથી કોઈ ઉમેદવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્‍યું નથી, તેથી અરવિંદ કેજરીવાલની બેઠક પર ૨૨ વધુ ઉમેદવારો પોતાનો દાવો રજૂ કરશે. કારણ કે કોઈપણ વિધાનસભા મતવિસ્‍તારમાં જ્‍યાં NOTA સહિત ૧૬ થી વધુ ઉમેદવારો હોય, ત્‍યાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડે છે. તેથી, નવી દિલ્‍હી વિધાનસભા મતવિસ્‍તારમાં બે બેલેટ યુનિટ લગાવવા પડશે.

નવી દિલ્‍હી સિવાય, જનકપુરી એકમાત્ર વિધાનસભા મતવિસ્‍તાર હશે જ્‍યાં બે બેલેટ યુનિટનો ઉપયોગ કરવો પડશે. જનકપુરી વિધાનસભામાં ઉમેદવારીપત્રો પાછા ખેંચ્‍યા બાદ હવે ૧૬ ઉમેદવારો બાકી રહયા છે.

કઈ વિધાનસભામાં સૌથી ઓછા ઉમેદવારો છે?

ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ પછી, પટેલ નગર અને કસ્‍તુરબા નગર વિધાનસભા મતવિસ્‍તારમાં સૌથી ઓછા ઉમેદવારો, પાંચ-પાંચ, બાકી રહયા છે. કરોલ બાગ, ગાંધીનગર, તિલક નગર, ગ્રેટર કૈલાશ, માંગોલપુરી અને ત્રિનગર વિધાનસભા બેઠકો પર, મતદારોએ ૬ ઉમેદવારોમાંથી ફક્‍ત એક જ ઉમેદવારને મત આપવાનો રહેશે.

Related posts

1 એપ્રિલથી માત્ર BS6-II વ્હીકલ જ બનશે, ડીઝલ કાર પર સૌથી મોટું સંકટ.. બાઇક પણ થશે મોંઘી

Ahmedabad Samay

બેઠક રહી નિષ્ફળ,પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવા પર ક્ષત્રિય સંગઠનો અડગ રહ્યા

Ahmedabad Samay

અમદાવાદ – કોર્પોરેશનમાં નાગરીકો ફરીયાદો કરે છે પરંતુ નિકાલ કરવાની વાતો, લોકોની સમસ્યાનું સમાધાન નહીં

Ahmedabad Samay

યુનાઈટેડ નોબલ હ્યુમન રાઇટ્સ કમિશન દ્વારા દિવ્યાંગ અને મંદબુદ્ધિ ના બાળકો માટે શેક્ષણિક કીટ અને નાસ્તો વિતરણ કરાયું

Ahmedabad Samay

શ્રી નાથુરામ ગોડસે જીની જન્મજયંતિ કર્ણાવતી મહાનગરમાં હિન્દુ સેના દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી

Ahmedabad Samay

કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમર દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારને આડે હાથે લેધી,શુ ન્યાય વિધર્મીઓના કેસમાં મળશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો