August 9, 2026
ગુજરાતજીવનશૈલી

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે. દૂધ,કાર, સ્માર્ટફોન થી હવાઇ મુસાફરી સુધી બધુ મોંઘુ થઇ જશે.

એપ્રિલ પહેલાં જ ખરીદી લો કાર, બાઇક,એ.સી, સ્માર્ટફોન, કારણકે મોટા ભાગની વસ્તુઓ થવાની છે મોંઘી.

મોટાભાગે કંપનીઓ ભાવ વધારવાની છે. મારૂતિ, Nissan જેવી કંપનીઓના ભાવમાં વધારાની જાહેરાત કરી દીધી છે. Nissan  પોતાની બીજી બ્રાંડ Datsun ની ગાડીઓની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

૧ એપ્રિલ ૨૦૨૧ થી ટીવી ખરીદવા મોંઘુ થઇ જશે ટીવી મેન્યુફેચર્સએ  પણ PLI સ્કીમ્સમાં લાવવાની માંગ રાખવામાં આવી છે. ૧ એપ્રિલ ૨૦૨૧ થી ટીવી  ભાવમાં ઓછામાં ઓછા ૨ થી ૩ હજાર રૂપિયાનો વધારો થઇ જશે.

૧ એપ્રિલથી AC કંપનીઓના ભાવમાં વધારો કરવાનો પ્લાન કરી રહી છે. કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમતો વધતાં એસીની ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. AC બનાવનાર કંપનીઓ ભાવમાં ૪-૬ ટકા વધારાની યોજના બનાવી રહી છે. એટલે કે પ્રતિ યૂનિટ એસીની કિંમતમાં ૧૫૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયાનો વધારો થઇ શકે છે.

સરકારે ડોમેસ્ટિક ફ્લાઇટ માટે ભાડાની ન્યૂનતમ સીમાને ૫ ટક વધારવાનો નિર્ણય કર્યો છે. ૧ એપ્રિલથી એવિએશન સિકયોરિટી ફી એટલે કે એએસએફ પણ વધવાની છે. ૧ એપ્રિલથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સ માટે એવિએશન સિકયોરિટી ફી ૨૦૦ રૂપિયા હશે. હાલ આ ૧૬૦ રૂપિયા છે. જયારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે ફી ૫.૨ ડોલરથી વધીને ૧૨ ડોલર થઇ જશે. નવા દર એક એપ્રિલ ૨૦૨૧થી લાગૂ થઇ જશે.

દૂધના ભાવમાં વધારો થઇ શકે છે ખેડૂતોએ કહ્યું કે તે દૂધના ભાવ ૩ રૂપિયા વધારીને ૪૯ રૂપિયા પ્રતિ લીટર કરવાની જાહેરાત કરી છે. દૂધના નવા ભાવ ૧ એપ્રિલથી લાગૂ થઇ જશે.  ખેડૂતોની ચેતવણી હતી તે દૂધના ભાવ ૫૫ રૂપિયા પ્રતિ લીટર કરી દેશે. પરંતુ આટલો વધારો કરવામાં નહી આવે. ૧ એપ્રિલથી ૪૯ રૂપિયા પ્રતિ લીટર દૂધ મળશે.

Related posts

અંબાજીના અંકિતકુમાર ધર્મેન્દ્રભાઈ રાજપુત યુપીએસસી પરીક્ષા પાસ કરીને તેમના પરિવારનું અને ગામનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં નિર્માણ પામશે પ૬ર દેશી રજવાડાઓના વિલીનીકરણથી એક-અખંડ ભારતના નિર્માણની સરદાર સાહેબની ગૌરવવંતી સફળતાની સંપૂર્ણ ઇતિહાસ ગાથા વર્ણવતું ભવ્ય મ્યૂઝિયમ

Ahmedabad Samay

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

ચૂંટણી પંચે ગાંધીનગરમાં યોજાનાર ચૂંટણી મોકુફ રાખવા નિર્ણય લીધો

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો