શહેરમાં મંગળવારની આખી રાત 108 દોડતી રહી હતી. મંગળવારની રાત્રે કોરોનાના ઇમરજન્સી કેસ વધતાં 108માં પણ ત્રણ કલાકના વેઇટિંગની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને, અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો વધી હતી.
જેના કારણે મંગળવારની રાત્રે કોઈ દર્દી ફોન કરે તો 1 કલાકથી લઈ ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હતી. આ સ્થિતિ વધુ બગડતા અમદાવાદમાં 108ની વધુ 10 એમ્બ્યુલન્સ સેવામાં મુકાઈ છે. અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિએ કોરોના કેસ વધ્યા છે, 108નું વેઇટિંગ ઘટે તે માટે પ્રયત્નો હાથ ધરાયા છે. 108ના સત્તાવાર સૂત્રો કહે છે કે, રાજ્યભરમાં માર્ચ મહિના સુધી 3,000 કોલ આવતા હતા જેમાં એપ્રિલ મહિનાથી વધારો શરૂ થયો છે જે હવે 4,000 કોલ આવવા લાગ્યા છે.
108 દ્વારા રાજ્યભરમાં 20 એમ્બ્યુલન્સમાં વધારો કરવામાં આવ્યો છે. જે પૈકી વધુ 10 એમ્બ્યુલન્સ મૂકવામાં આવી છે.
