June 22, 2026
ગુજરાતબિઝનેસ

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

દેશની ત્રીજી સૌથી મોટી સરકારી બેંક, બેન્ક ઓફ બરોડા એ ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કોઈપણ પેપરલેસ પ્રક્રિયા હેઠળ તેમની અનુકૂળતા અનુસાર મિનિટોમાં રિટેલ લોન લઈ શકે છે.

બેન્ક ઓફ બરોડા હાલમાં કેટલાક હાજર પસંદગીના ગ્રાહકોને ઓફલાઇન / ઓનલાઇન પાર્ટનર ચેનલોના માધ્યમથી કંઈપણ ખરીદવા માટે અને ત્યારબાદ સરળ EMIમાં ચૂકવણી કરવા માટે પ્રી-એપ્રૂવ માઈક્રો પર્સનલ લોન આપે છે. ગ્રાહકો ઈચ્છે તો આ રકમ તેમના બચત બેંક ખાતામાં મૂકી શકે છે
જો ગ્રાહક ઇચ્છે છે, તો તેને ૩ મહિનાથી ૧૮ મહિનાની EMIમાં કન્વર્ટ કરી શકે છે. આ માટે, ગ્રાહકોએ બેંક ઓફ બરોડાની મોબાઇલ બેંકિંગ એપ્લિકેશન

m-Connect+નો ઉપયોગ કરવો પડશે. બેંક ઓફ બરોડા કહે છે કે ‘આ એપ્લિકેશન દ્વારા ચ્પ્ત્ કનવર્ઝનમાં ફકત ૬૦ સેકંડ લાગે છે’. આ ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મના લોકાર્પણ પર, બેંક ઓફ બરોડાના એકિઝકયુટિવ ડિરેકટર વિક્રમાદિત્ય સિંઘ ખિચિએ કહ્યું હતું કે, ‘અમારો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકને ઉત્ત્।મ અનુભવ પ્રદાન કરાવવો અને ધિરાણના વ્યવસાયને ડિજિટાઇઝેશન તરફ લઈ જવાનો છે’.

ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન અને વ્યકિતગત લોન માટે સૈદ્ઘાંતિક મંજૂરી આપે છે, અને પ્રક્રિયામાં કોઈ માનવ હસ્તક્ષેપ નથી. લોન અરજદારો ઘણી રીતે તે માટે અરજી કરી શકે છે. ગ્રાહકો વેબસાઇટ, મોબાઇલ બેન્કિંગ, ઇન્ટરનેટ બેંકિંગ અને સોશિયલ મીડિયાથી પણ આ સુવિધા મેળવી શકશે.

આ નવા પ્લેટફોર્મ દ્વારા, બેંક ઓફ બરોડા ‘Online Loan against Fixed Deposits’ પણ પ્રદાન કરી રહી છે. આ પ્લેટફોર્મ દ્વારા, ગ્રાહકો તેમની ફિકસ્ડ ડિપોઝિટ પર મોબાઇલ બેંકિંગ અથવા નેટ બેંકિંગ સુવિધાથી ત્વરિત લોન મેળવી શકે છે. બેંક ઓફ બરોડાને અપેક્ષા છે કે આવતા ૫ વર્ષમાં છૂટક લોનમાં ડિજિટલ શેર વધીને ૭૪% થઈ જશે.

Related posts

રથયાત્રા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે

Ahmedabad Samay

સુરપંચમ સ્ટુડિયો, અમદાવાદ ખાતે “કરાઓકે સુપરસ્ટાર સીઝન ૧” ફાયનલ સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

અમેરિકા જવાની લાલશમાં જીવ ગુમાવ્યું,મેક્સિકો-અમેરિકાની દીવાલ કુદી જતા યુવકનું થયું મૃત્યુ, પત્ની અને ત્રણ વર્ષનું બાળક વિદેશમાં રજળ્યું

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માં વધુ છૂટછાટ, મોલ અને હોટેલ ખૂલી શકશે

Ahmedabad Samay

અમદાવાદના મરાઠી સમાજ દ્વારા ગતરોજ શ્રી ગણેશજીના માતા માં ગૌરીની વિવિધ રીતે સુંદર સૃણગાર કરી સ્થાપના કરાઈ, આજે કરાશે માં ગૌરીની વિશેષ પૂજા

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો