May 9, 2026
દેશરાજકારણ

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણે કહ્યુ હતું કે, કોરોના હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. સંક્રમિત લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. સ્મશાનમાં એક સાથે ડઝનબંધ લાશો સળગી રહી છે. એક બેડ પર કેટલાય દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી તસ્વીરોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજકીય, ધાર્મિક નેતાને તેની જરા પણ ચિંતા નથી.

તેમણે કહ્યુ હતું કે, રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી જરૂરી છે અને ધાર્મિક નેતાઓ માટે તેમની ધાર્મિક ઓળખાણ. પબ્લિક હેલ્થ, લોકોના જીવન તેમના માટે જરાયે મહત્વ ધરાવતા નથી. આપણા ટીવી બતાવે છે કે, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાઓ ચૂંટણી રેલી માટે હજારોની ભીડ એકઠી કરે છે. લોકોની ચિંતા કર્યા વગર કુંભ મેળામાં લાખો લોકોને સ્નાન કરવા બોલાવ્યા.જ્યારે પરિસ્થિતી બગડવા લાગે છે, ત્યારે ધાર્મિક ગુરૂઓ અને નેતાઓના નિવેદન આવી જાય છે કે, હવે કુંભને સાંકેતિક રાખવામાં આવ્યો છે.

તેઓ અહીં રોકાયા નહોતા. બંગાળમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ભાજપ અને ટીએમસી પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં મુખ્ય હરિફ એવા ભાજપ અને ટીએમસીએ કોવિડ પ્રોટોકોલની ધજ્જિયા ઉડાવી છે. નેતાઓ રેલીઓ કરતા રહ્યા. હદ તો ત્યારે થાય છે જ્યારે નિષ્ણાંતો આ ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને યોગ્ય ઠેરવતા હોય છે. આશ્ચર્ય થાય છે જ્યારે અન્ય દેશોની સરખામણીએ આપણી હાલત સારી છે તેવી સુફિયાણી વાતો કરતા હોય છે. જો કે, હકીકતમાં આપણી સ્થિતી હાલ અત્યંત ખરાબ છે. જે રીતે દરરોજ હજારો મોત થઈ રહ્યા છે સરકારે કોઈ આકરા પગલા લેવા પડશે.

Related posts

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

અભિનેતા અને બિગ બોસ ૧૩ વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું આજ રોજ હાર્ટઅટેક થી થયું નિધન

Ahmedabad Samay

ભાજપમાં નરહરિ અમીન સહિત ૦૩ બેઠક મેળવી જ્યારે કોંગ્રેસ ને ફક્ત ૦૧ બેઠક

Ahmedabad Samay

હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, હાઇવે માર્ગ આખું તૂટી પડ્યો

Ahmedabad Samay

બાળકો દ્વારા વપરાતી પેન્સિલ, શાર્પનર, ઇરેઝર, નોટબુક અને નકશા પર પણ ‘શૂન્ય’ ટકા GST

Ahmedabad Samay

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી અને આ પ્રકારના તમામ દાવાઓ તદ્દન ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો