March 25, 2026
દેશરાજકારણ

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણે કહ્યુ હતું કે, કોરોના હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. સંક્રમિત લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. સ્મશાનમાં એક સાથે ડઝનબંધ લાશો સળગી રહી છે. એક બેડ પર કેટલાય દર્દીઓ સારવાર લેવા મજબૂર બન્યા છે. આવી તસ્વીરોએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. રાજકીય, ધાર્મિક નેતાને તેની જરા પણ ચિંતા નથી.

તેમણે કહ્યુ હતું કે, રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી જરૂરી છે અને ધાર્મિક નેતાઓ માટે તેમની ધાર્મિક ઓળખાણ. પબ્લિક હેલ્થ, લોકોના જીવન તેમના માટે જરાયે મહત્વ ધરાવતા નથી. આપણા ટીવી બતાવે છે કે, પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને વિપક્ષી નેતાઓ ચૂંટણી રેલી માટે હજારોની ભીડ એકઠી કરે છે. લોકોની ચિંતા કર્યા વગર કુંભ મેળામાં લાખો લોકોને સ્નાન કરવા બોલાવ્યા.જ્યારે પરિસ્થિતી બગડવા લાગે છે, ત્યારે ધાર્મિક ગુરૂઓ અને નેતાઓના નિવેદન આવી જાય છે કે, હવે કુંભને સાંકેતિક રાખવામાં આવ્યો છે.

તેઓ અહીં રોકાયા નહોતા. બંગાળમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ભાજપ અને ટીએમસી પર બરાબરના પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, બંગાળમાં મુખ્ય હરિફ એવા ભાજપ અને ટીએમસીએ કોવિડ પ્રોટોકોલની ધજ્જિયા ઉડાવી છે. નેતાઓ રેલીઓ કરતા રહ્યા. હદ તો ત્યારે થાય છે જ્યારે નિષ્ણાંતો આ ચૂંટણી રેલીઓ અને કુંભ મેળાને યોગ્ય ઠેરવતા હોય છે. આશ્ચર્ય થાય છે જ્યારે અન્ય દેશોની સરખામણીએ આપણી હાલત સારી છે તેવી સુફિયાણી વાતો કરતા હોય છે. જો કે, હકીકતમાં આપણી સ્થિતી હાલ અત્યંત ખરાબ છે. જે રીતે દરરોજ હજારો મોત થઈ રહ્યા છે સરકારે કોઈ આકરા પગલા લેવા પડશે.

Related posts

૦૪ ઓક્ટોબરથી એમેઝોન લાવી રહ્યુ છે એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલ.

Ahmedabad Samay

અદાણી રિયલ્ટી દ્વારા ભારતમાં સૌ પ્રથમવાર રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં TEN BKCનો વર્ચ્યુઅલ પઝેશન સાથેનો નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો

Ahmedabad Samay

પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર આપશે 10,000 રૂપિયા પેન્શન, મનોહર લાલ ખટ્ટરે કરી જાહેરાત

Ahmedabad Samay

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

Ahmedabad Samay

મોતીલાલ ઓશવાલ બ્રોકરેજ હાઉસે 9 એવા શેરોની યાદી જાહેર કરી છે જે આગામી સમયમાં રોકાણકારોને માલામાલ કરી શકે છે

Ahmedabad Samay

એર ઇન્ડિયા, એર એશિયા, વિસ્તારા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના મર્જરથી અન્ય એરલાઇન્સમાં ફફડાટ,શું આ ચાંડાળ ચોકળી બધી એરલાઇન્સના તાળા બંધ કરાવી દેશે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો