June 22, 2026
ગુજરાતરાજકારણ

પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કરાયું

અમદાવાદના વસ્ત્રાલ-આદિનાથ નગરમાં 4.78 કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન કોમ્યુનિટી હેલ્થ સેન્ટરનું ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર નગરજનોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરશે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના આગોતરા આયોજન રૂપે તૈયાર થયેલ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અમદાવાદ પૂર્વના રહીશો માટે આશીર્વાદ રૂપ સાબિત થશે તેવો ભાવ પ્રદિપસિંહે વ્યક્ત કર્યો હતો.

30 બેડની સુવિધાઓથી સજ્જ નવિન કોમ્યુનીટી હેલ્થ સેન્ટર અમદાવાદ શહેર પૂર્વ વિસ્તાર રહીશો માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ સમોવડું સાબિત થશે તેમ જણાવી પ્રદિપસિંહ જાડેજાએ આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં ગાયનેક, બાળરોગ સહિતના વિવિધ મેડીકલ વિભાગો તેમજ રેડીયોલોજી, લેબ ટેકનીશીયન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હોવાનું જણાવ્યું હતુ

 

આગામી સમયમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 10 કરોડના ખર્ચે કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના પ્રવર્તમાન 30 બેડની ક્ષમતા વધારીને 100 સુધી કરવામાં આવશે તેવી મહત્વની જાહેરાત કરતા પ્રદિપસિંહે કહ્યું કે, 100 બેડની કેપિસીટી ધરાવતી અમદાવાદ પૂર્વ વિસ્તારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાબિત થશે. જેનો લાભ અમદાવાદ પૂર્વ વિસ્તારના ગરીબ, શ્રમિક અને મધ્યમ વર્ગીય પરીવારોને મહત્તમ થશે.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં હાલની સ્થિતિએ ઉપલ્બધ તમામ 30 બેડને ઓક્સિજનની સેન્ટ્રલ લાઇન સાથે ટૂંક સમયમાં જોડવામાં આવશે.હોસ્પિટલ કેમ્પસમાં એક મીની ઓક્સિજન ટેંક પણ પ્રસ્થાપિત કરવામાં આવશે.આજે શુભારંભ થયેલ નવીન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં આગામી સમયમાં જરૂરિયાત પ્રમાણે તમામ આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવશે અને તમામ જરૂરીયાત સત્વરે પૂર્ણ થાય તે દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

Related posts

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

હવામાન વિભાગે દેશના ૧૯ જેટલા મોટા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર આંધી-તોફાનનું રેડ એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

શહેરના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર ગણાતા નરોડા GIDCમાં એક ફેક્ટરીમાં અચાનક લાગી ભીષણ આગ

Ahmedabad Samay

સુરતમાં ડાયમંડ બુર્સ તૈયાર, પીએમ મોદી કરશે ઉદઘાટન, મોટી સંખ્યામાં વેપારીઓનો શરુ થશે કારોબાર

Ahmedabad Samay

નરોડા પાટિયાથી ગેલેક્સી ચાર રસ્તાનો સળંગ 2.5 કિલોમીટરનો ઓવરબ્રિજ બનવાની કામગીરી શરૂ,૨૦૨૫ સુધી તૈયાર થશે બ્રિજ

Ahmedabad Samay

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, જાણો સાપ્તાહિક રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો