થોડા દિવસ પહેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા હિન્દુત્વ મુદ્દે આપવામાં આવેલા નિવેદન પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિવિધ પાર્ટીઓ દ્વારા નીતિન પટેલના આ નિવેદનને ઘોર નિંદા કરી છે અને વિરોધ વ્યક કર્યું છે.
ત્યારે હવે શ્રી નીતિન પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયા પર ‘હું પણ સહમત છું’ અભિયાન શરૂ થયું છે. નીતિન પટેલના હિન્દુત્વ વાળા નિવેદન થી હિન્દૂ સનગઠનો પણ તેમના સમર્થનમાં આવ્યા છે,
અમદાવાદમાં અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આર.પી.સિંહ બધેલ દ્વારા પણ નીતિન પટેલને સમર્થન જાહેર કરાયું છે સોશિયલ મિડીમાં તેમના સમર્થનમાં પોસ્ટ પણ જાહેર કરવામાં આવી છે.
