મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકનું મોજુ ફેલાઈ ગયેલ છે.
અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટની મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે. વીર રજનીશ પટનીનો પાર્થિવ દેહ આવતીકાલે અમદાવાદ ખાતે લાવવામાં આવશે.
