June 22, 2026
દુનિયાદેશ

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોએ છરીની જેમ દેખાતું એવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે જે મોતિયાને વધવા નહીં દે. ઈમ્પ્લાન્ટને તૈયાર કરનાર અમેરિકાની ફાર્મા કંપની નેકયુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, તેના દ્વારા દ્યણા હદ સુધી સર્જરીને રોકવામાં સફળતા મળી શકે છે.

આ રીતે કામ કરે છે નવું ઈમ્પ્લાન્ટ.

અમેરિકી ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, આ ઈમ્પ્લાન્ટનું નામ NPI-002 છે. સામાન્ય રીતે આંખોમાં કેલ્શિયમનું સ્તર વધવા પર મોતિયો આવે છે. આ નવું ઈમ્પ્લાન્ટ આ કેલ્શિયમને

વધવાથી રોકે છે. દુનિયાભરના વૃદ્ઘોમાં વધી રહેલી મોતિયાની બીમારીને રોકવા માટે નવા ઈમ્પ્લાન્ટનું હ્યુમન ટ્રાયલ જલ્દી જ શરૂ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે હ્યુમન ટ્રાયલ સફળ રહેશે તો આ ઈમ્પ્લાન્ટ એક મોટો ફેરફાર લાવી શકે છે. હ્યુમન ટ્રાયલમાં ૬૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના ૩૦ લોકો શામેલ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે દર્દીઓની આંખમાં આ ઈમ્પ્લાન્ટને સીધો ઈન્જેકટ કરવામાં આવશે. આ ઈમ્પ્લાન્ટ આંખોમાં ધીરે ધીરે એન્ટીઓકસીડેન્ટ્સ પહોંચાડતુ રહે છે. તેની મદદથી મોતિયાની અસર ઘટી જાય છે અને સર્જરીની જરૂર નથી પડતી

Related posts

ભોપાલ, ઈંદોર અને જબલપુરમાં ૨૧ માર્ચ રવિવારે સંપૂર્ણ લોકડાઉન

Ahmedabad Samay

લવ જેહાદ માટેના કાનૂન ને ઉત્તર પ્રદેશ કેબિનેટે અધ્યાદેશને આપી મંજૂરી

Ahmedabad Samay

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

Ahmedabad Samay

૨૧થી ધો.૦૯ થી ૧૨ માટે સ્કૂલો ખુલશે, કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે ૨૧ સપ્ટેમ્બર ૨૦૨૦થી શાળાઓ ફરીથી ખોલવા માટે વિશેષ માર્ગદર્શિકા જારી કરી છે.

Ahmedabad Samay

બિહારની રાજનીતિમાં મોટી ઉથલ પાથલ,નીતિશ કુમારે મુખ્યમંત્રી તરીકે આપ્યું રાજીનામુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો