May 8, 2026
દુનિયાદેશ

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે

હવે મોતિયાના દરેક દર્દીને સર્જરી કરાવવાની જરૂર નહીં પડે. વૈજ્ઞાનિકોએ છરીની જેમ દેખાતું એવું ઈમ્પ્લાન્ટ તૈયાર કર્યું છે જે મોતિયાને વધવા નહીં દે. ઈમ્પ્લાન્ટને તૈયાર કરનાર અમેરિકાની ફાર્મા કંપની નેકયુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, તેના દ્વારા દ્યણા હદ સુધી સર્જરીને રોકવામાં સફળતા મળી શકે છે.

આ રીતે કામ કરે છે નવું ઈમ્પ્લાન્ટ.

અમેરિકી ફાર્મા કંપની નેફ્યુટી ફાર્માસ્યુટિકલ્સનું કહેવું છે કે, આ ઈમ્પ્લાન્ટનું નામ NPI-002 છે. સામાન્ય રીતે આંખોમાં કેલ્શિયમનું સ્તર વધવા પર મોતિયો આવે છે. આ નવું ઈમ્પ્લાન્ટ આ કેલ્શિયમને

વધવાથી રોકે છે. દુનિયાભરના વૃદ્ઘોમાં વધી રહેલી મોતિયાની બીમારીને રોકવા માટે નવા ઈમ્પ્લાન્ટનું હ્યુમન ટ્રાયલ જલ્દી જ શરૂ કરવામાં આવશે. કંપનીનો દાવો છે કે હ્યુમન ટ્રાયલ સફળ રહેશે તો આ ઈમ્પ્લાન્ટ એક મોટો ફેરફાર લાવી શકે છે. હ્યુમન ટ્રાયલમાં ૬૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના ૩૦ લોકો શામેલ કરવામાં આવશે.

કંપનીનો દાવો છે કે દર્દીઓની આંખમાં આ ઈમ્પ્લાન્ટને સીધો ઈન્જેકટ કરવામાં આવશે. આ ઈમ્પ્લાન્ટ આંખોમાં ધીરે ધીરે એન્ટીઓકસીડેન્ટ્સ પહોંચાડતુ રહે છે. તેની મદદથી મોતિયાની અસર ઘટી જાય છે અને સર્જરીની જરૂર નથી પડતી

Related posts

૫૦% ટ્રમ્પ ટેરિફનો કડક નિર્ણય પછી ચામડું, રસાયણ, શૂઝ, રત્‍ન-ઝવેરાત, કાપડ અને ઝીંગા ક્ષેત્રોમાં વાવાઝોડું આવ્‍યું

Ahmedabad Samay

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

Ahmedabad Samay

આપના મોબાઇલમાં આજે દેખાશે વોટ્સએપ “એપનું” સ્ટેટસ

Ahmedabad Samay

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજરોજ સવારે થયું નિધન

Ahmedabad Samay

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

અમેરિકાએ કાબુલથી છેલ્લી લશ્કરી ફ્લાઇટ રવાના કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો