May 9, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જનતા માટે જાહેર કરવામાં આવેલી યોજના અંતર્ગત 3 માસ માટે મિલકત વેરા પર વ્યાજ માફી માટેની આ યોજનામાં 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ તો કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા જેટલી વ્યાજની રાહત આપવામાં આવી છે.

28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75 ટકા વ્યાજ માફી અને કોમર્શિયલમાં 55 ટકા વ્યાજમાફી થશે તેવી જાહેરાત કરવામાં આવ્યું છે. તો છેલ્લા અને ત્રીજા મહિનામાં 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરનારને રહેઠાણમાં 70 ટકા વ્યાજમાફી, કોમર્શિયલમાં 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના થકી વ્યાજમાં રિબેટ અપાતા નિયમિત તેમજ બાકી વેરો ઝડપથી ભરાશે. જેથી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.350 કરોડ એકઠા કરવાનો AMCનો અંદાજ રાખ્યો છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના  ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને 80 સુધી વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કિમનો લાભ આગામી 31 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લઈ શકાશે.

મહત્વનું છે કે AMCના ચોપડે કોરોનાના કારણે કરોડોનો પ્રોપર્ટી ટેક્સ તેમજ કોમર્શિયલ ટેક્સ બાકી બોલે છે. જે આ ત્રિમાસિક યોજનાની વ્યાજ માફીની જાહેરાતથી એક સામટો ઑછો થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

New up 01

Related posts

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

મોરબી : રાજપર રોડ પર રૂમમાં ગુપ્ત ભોયરું બનાવી દારૂ છુપાવ્યો’તો, પોલીસે કીમિયો નિષ્ફળ બનાવ્યો

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

ભરૂચમાં ઝડપાયો અસલી સોનાનો નકલી કારોબાર!!! 4 ની ધરપકડ કરી 200 ગ્રામ અસલી અને 140 ગ્રામ નકલી સોનુ કબ્જે કરાયું

Ahmedabad Samay

ગુમ થયેલ છે: કુણાલ અશોક નાયક

Ahmedabad Samay

ગુજરાતમાં મકરસંક્રાંતિ પર ૫,૪૩૯ ઘાયલ પક્ષીઓમાંથી ૯૧ ટકાનો જીવ બચાવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો