June 24, 2026
ગુજરાત

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જનતા માટે જાહેર કરવામાં આવેલી યોજના અંતર્ગત 3 માસ માટે મિલકત વેરા પર વ્યાજ માફી માટેની આ યોજનામાં 31 જાન્યુઆરી સુધી રહેઠાણમાં 80 ટકા વ્યાજ માફ તો કોમર્શીયલ સ્ટ્રક્ચરમાં 60 ટકા જેટલી વ્યાજની રાહત આપવામાં આવી છે.

28 ફેબ્રુઆરી સુધી રહેઠાણમાં 75 ટકા વ્યાજ માફી અને કોમર્શિયલમાં 55 ટકા વ્યાજમાફી થશે તેવી જાહેરાત કરવામાં આવ્યું છે. તો છેલ્લા અને ત્રીજા મહિનામાં 31 માર્ચ સુધી પ્રોપર્ટી ટેક્સ ભરનારને રહેઠાણમાં 70 ટકા વ્યાજમાફી, કોમર્શિયલમાં 50 ટકા વ્યાજ રાહતની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના થકી વ્યાજમાં રિબેટ અપાતા નિયમિત તેમજ બાકી વેરો ઝડપથી ભરાશે. જેથી પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ.350 કરોડ એકઠા કરવાનો AMCનો અંદાજ રાખ્યો છે. જે અંતર્ગત બાકી પ્રોપર્ટી ટેક્સ ભરી દેનારા કરદાતાઓના  ટેક્સના વ્યાજમાં 50 ટકાથી લઇને 80 સુધી વ્યાજ માફી સુધીની જાહેરાત કરવામાં આવી છે. આ સ્કિમનો લાભ આગામી 31 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી લઈ શકાશે.

મહત્વનું છે કે AMCના ચોપડે કોરોનાના કારણે કરોડોનો પ્રોપર્ટી ટેક્સ તેમજ કોમર્શિયલ ટેક્સ બાકી બોલે છે. જે આ ત્રિમાસિક યોજનાની વ્યાજ માફીની જાહેરાતથી એક સામટો ઑછો થશે તેવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે

New up 01

Related posts

જાન્યુઆરી-૨૦૨૪, ૨ સુધીમાં ગુજરાતનું હવામાન પલટાવાની શકવાની શક્યતાઓ,કમોસમી વરસાદની સંભાવના

Ahmedabad Samay

આજે વધુ એક મહિલાએ સાબરમતીમાં ઝમ્પલાવ્યું, સાબરમતી નદી સુસાઇડ પોઇન્ટ બની રહ્યું છે

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે 27 કરોડના ખર્ચે વિશાળ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષની કામગીરી પૂર્ણ થવાની તૈયારી

Ahmedabad Samay

ભાવેણા ન્યૂઝના તંત્રી શ્રી મહિપતસિંહજી જાડેજા ને જન્મદિવસની ખુબ શુભેચ્છા…

Ahmedabad Samay

લોક સભા ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાંથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર, સી.આર.પાટીલે ખુશી વ્યક્ત કરી

Ahmedabad Samay

દિવ્યપથ શાળાની વિદ્યાર્થિની અને વાહ એવોર્ડ વિજેતા આયુષી રાવલ ને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન દ્વારા પીએચડી માટે નિમંત્રણ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો