June 27, 2026
ગુજરાતરાજકારણ

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભાની ર૦રર ની ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન વીટીવીના ”મનોમંથન” નિષ્ણાંત શ્રી ઇસુદાનભાઇ ગઢવી જોરશોરથી ‘આપ’માં જોડાઇ ગયા છે.

‘આમ આદમી પાર્ટી’ દ્વારા ર૦રર ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રી ઇસુદાનભાઇ ગઢવી સંભવતઃ મુખ્યમંત્રીનો ચહેરો બનવાની પણ પ્રબળ શકયતા દેખાઇ રહી છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં જબ્બર લોકચાહના ધરાવનાર પૂર્વ પત્રકાર ઇસુદાનભાઇ ગઢવીના વિવિધ શહેરોમાં ‘આપ’ ના પ્રચારાર્થે મોટા-મોટા હોર્ડીંગ લાગ્યા હોવાનું જાણવા મળે છે. તેઓએ ‘આપ’  ના સમર્થનમાં તથા ‘આપ’  દ્વારા લોકમત પોતાની તરફ વાળવા માટેના પ્રયત્નો અત્યારથી જ પુરજોશમાં શરૂ કરી દીધા હોવાનું દેખાઇ રહ્યું છે.

આવતીકાલ અને પરમ દિવસ (રવિવાર-સોમવાર) એમ બે દિવસ માટે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપની નેતાગીરી દ્વારા યેનકેન પ્રકારે ઇસુદાનભાઇ ગઢવીને ‘આપ’  થી દૂર કરી પોતાની તરફ વાળવાના પણ પ્રયત્નો કરવામાં આવશે તેવી કર્ણોપકર્ણ ચર્ચા સાંભળવા મળે છે.

જો કે ભાજપના અમુક સુત્રો માની રહ્યા છે કે ભાજપ હાલમાં ખુબ જ સક્ષમ છે. અને ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે ‘મહાવિજય’  મેળવશે જેમાં બેમત નથી. ચૂંટણીઓ નજીક આવે એટલે નવા-નવા રાજકીય પક્ષો અને આગેવાનો મેદાનમાં ન આવે તો જ નવાઇ, એવું પણ રાજકીય પંડીતો જણાવી રહ્યા છે

Related posts

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

Ahmedabad Samay

કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બાલકૃષ્ણ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓની ફી માફ કરાઇ

Ahmedabad Samay

નિકુલસિંહ તોમર: એક એવો નેતા જેના માટે પ્રજાલક્ષી કાર્ય કરવા માટે મત વિસ્તારની જરૂર નથી

Ahmedabad Samay

કોરોનાના દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઇન્જેક્શન્સનો પુરતો જથ્થો ઉપલબ્ધ

Ahmedabad Samay

હેલ્થનુ વિઝન પોરબંદર @ – ૨૦૪૭ તૈયાર કરવા તબીબોની ટીમ બનાવાશે

Ahmedabad Samay

BJP અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે કર્ણાવતી મહાનગર એરપોર્ટ સર્કલ ખાતે ભીત સૂત્રો લખવાના કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો