January 20, 2025
ગુજરાતરાજકારણ

ઈસુદાન ગઢવીનો સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર-પ્રસાર

ગુજરાતના રાજકીય પક્ષો વિધાનસભાની ર૦રર ની ચૂંટણીની તૈયારીમાં ઝંપલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત દરમિયાન વીટીવીના ”મનોમંથન” નિષ્ણાંત શ્રી ઇસુદાનભાઇ ગઢવી જોરશોરથી ‘આપ’માં જોડાઇ ગયા છે.

‘આમ આદમી પાર્ટી’ દ્વારા ર૦રર ની વિધાનસભાની ચૂંટણીમાં શ્રી ઇસુદાનભાઇ ગઢવી સંભવતઃ મુખ્યમંત્રીનો ચહેરો બનવાની પણ પ્રબળ શકયતા દેખાઇ રહી છે. ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રનાં ગ્રામ્ય વિસ્તારમાં જબ્બર લોકચાહના ધરાવનાર પૂર્વ પત્રકાર ઇસુદાનભાઇ ગઢવીના વિવિધ શહેરોમાં ‘આપ’ ના પ્રચારાર્થે મોટા-મોટા હોર્ડીંગ લાગ્યા હોવાનું જાણવા મળે છે. તેઓએ ‘આપ’  ના સમર્થનમાં તથા ‘આપ’  દ્વારા લોકમત પોતાની તરફ વાળવા માટેના પ્રયત્નો અત્યારથી જ પુરજોશમાં શરૂ કરી દીધા હોવાનું દેખાઇ રહ્યું છે.

આવતીકાલ અને પરમ દિવસ (રવિવાર-સોમવાર) એમ બે દિવસ માટે કેન્દ્રના ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે છે ત્યારે ભાજપની નેતાગીરી દ્વારા યેનકેન પ્રકારે ઇસુદાનભાઇ ગઢવીને ‘આપ’  થી દૂર કરી પોતાની તરફ વાળવાના પણ પ્રયત્નો કરવામાં આવશે તેવી કર્ણોપકર્ણ ચર્ચા સાંભળવા મળે છે.

જો કે ભાજપના અમુક સુત્રો માની રહ્યા છે કે ભાજપ હાલમાં ખુબ જ સક્ષમ છે. અને ર૦રરની વિધાનસભાની ચૂંટણીમાં પણ સ્પષ્ટ બહુમતી સાથે ‘મહાવિજય’  મેળવશે જેમાં બેમત નથી. ચૂંટણીઓ નજીક આવે એટલે નવા-નવા રાજકીય પક્ષો અને આગેવાનો મેદાનમાં ન આવે તો જ નવાઇ, એવું પણ રાજકીય પંડીતો જણાવી રહ્યા છે

Related posts

અપક્ષ નેતા દિનેશ શર્માની ચાંદખેડા વોર્ડથી હાર

Ahmedabad Samay

સુપ્રીમ કોર્ટે ર્સિવસ માટે અપાતું રિફંડ નહીં આપવાનો ચુકાદો આપ્યો

Ahmedabad Samay

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: અમિત શાહે અમદાવાદીઓને આપી મોટી ભેટ, 97 કરોડના સનાથલ ઓવરબ્રિજનું ઇ-લોકાર્પણ કર્યું, 70 હજાર વાહનચાલકોને મળશે રાહત

Ahmedabad Samay

૨૮ મેથી શહેરમાં ફરીથી એએમટીએસ અને બીઆરટીએસની બસો શરૂ

Ahmedabad Samay

વિદેશની લાલચ પડી ૪૦ લાખમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો