આજરોજ “ટચ ધ સ્કાય” motivational social movement – season # 1 round # 3 અંતર્ગત શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને ગાંધીનગર ગુજરાત સ્વર્ણિમ સંકુલ ખાતે સંસ્થાપક શ્રી શાહનવાજ ભાઈ શેખ સાહેબ મળ્યા હતા અને આવનારી ઇવેન્ટ ટચ ધ સ્કાય રાઉન્ડ # 3 આ અંગે માહિતગાર કર્યા હતા.
જેમાં લાખો વિદ્યાર્થીઓને શિક્ષા નશામુક્તિ, કોમ્પ્યુટર યુવા રોજગાર ,સાક્ષરતા,સ્ત્રી સશક્તિકરણ, રોગ મુક્ત ભારત, વિવિધ વિષયો અંગે કેજે મોમેન્ટ ના મૂળભૂત ઉદ્દેશો છે તેમજ એક કરોડ ડ્રોઈંગ ના માધ્યમથી સમગ્ર વિદ્યાર્થી જગતના થકી તેમજ શિક્ષક મિત્રોને આચાર્ય ગણના સહયોગથી દેશને આગળ વધારવાનું કાર્ય મહાન મૂવમેન્ટ કરી રહી છે.
શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીને સંસ્થાપક શ્રી શાહનવાઝ ભાઈ શેખ સાહેબ અને શ્રીમાન એડવોકેટ જીગ્નેશ ભાઈ શાહ સાહેબે (રીટાયર્ડ) ફાસ્ટ ટ્રેક મેજિસ્ટ્રેટ, સાઈકોલોજિસ્ટ શ્રીમતી જીજ્ઞા બેન ચોકસી સાઈકોલોજીસ્ટ , અને મહેબૂબ ભાઈ ઘાંચીએ (રેહાન કોર્પોરેશન) આવનારા ઇવેન્ટમાં મુખ્યમંત્રી,ગૃહ મંત્રી શ્રી સહિત પધારવા ભાવભીનું આમંત્રણ આપ્યું હતું અને શિક્ષણ મંત્રી શ્રીએ તે સપ્રેમ સ્વીકાર્યું હતું.

