May 15, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચઢતું જતો હોય તેમ હત્યા અને દુષ્કર્મની ફરિયાદોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. વધુ એક આસારામ આવ્યો સામે, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં એક મહંતે સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની ફરિયાદે વધુ ચકચાર મચાવી છે.

અમદાવાના અસારવા વિસ્તારમાં આવેલ મંદિરના મહંતે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. મહંત દ્વારા જે પીડિતા ઉપર બળાત્કાર ગુજારાયો હતો તે સગીર હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદના અસારવામાં આવેલા કબીર મંદિરના મહંતે સગીરાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં ભત્રીજા સાથે સગીરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેને આ દુષ્કર્મ આચર્યુ હતુ. આ વાતની તેના પરિવાર જનો અને સ્થાનિક લોકોને જાણ થતાં સંતના વેશમાં બેઠેલા શૈતાન ને રોષેભરાઈ મેથીપાક ચખાડ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સંતને તેના કૃત્ય માટે સૌ લોકોએ મળીને માર માર્યો હતો.

આથી સગીરાની ફરિયાદ આધારે શાહીબાગ પોલીસ મથકે મહંત વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાના છ માસથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરાઇ

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

ઘરકામ અને સાફ-સફાઈ માટે રાખવામાં આવેલી બે મહિલાઓએ મોકો મળતા જ કિંમતી દાગીના પર હાથફેરો કર્યો

Ahmedabad Samay

યુ એન મહેતા હોસ્પિટલમાં ૫૬ વર્ષના એક દર્દીએ છઠ્ઠા માળેથી પડતું મૂક્યું, સારવાર દરમ્યાન મૃત્યુ થયું

Ahmedabad Samay

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો