March 24, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ ઉંચે ચઢતું જતો હોય તેમ હત્યા અને દુષ્કર્મની ફરિયાદોમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે. વધુ એક આસારામ આવ્યો સામે, અમદાવાદમાં અસારવા વિસ્તારમાં એક મહંતે સગીરાને પોતાની હવસનો ભોગ બનાવી હોવાની ફરિયાદે વધુ ચકચાર મચાવી છે.

અમદાવાના અસારવા વિસ્તારમાં આવેલ મંદિરના મહંતે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. મહંત દ્વારા જે પીડિતા ઉપર બળાત્કાર ગુજારાયો હતો તે સગીર હોવાનુ સામે આવ્યું છે. અમદાવાદના અસારવામાં આવેલા કબીર મંદિરના મહંતે સગીરાને લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો. જેમાં ભત્રીજા સાથે સગીરાના લગ્ન કરાવી આપવાની લાલચ આપી તેને આ દુષ્કર્મ આચર્યુ હતુ. આ વાતની તેના પરિવાર જનો અને સ્થાનિક લોકોને જાણ થતાં સંતના વેશમાં બેઠેલા શૈતાન ને રોષેભરાઈ મેથીપાક ચખાડ્યો હતો મોટી સંખ્યામાં લોકોએ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સંતને તેના કૃત્ય માટે સૌ લોકોએ મળીને માર માર્યો હતો.

આથી સગીરાની ફરિયાદ આધારે શાહીબાગ પોલીસ મથકે મહંત વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

આજથી હેલ્મેટ ફરજીયાત, ૦૯ થી ૨૦ સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઇવ રહશે, હેલ્મેટ ન પહેરવા પર ગુન્હો દાખલ કરાશે

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

સ્વધા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા “ફ્રી મા આયુષ્માન કાર્ડ ” બનાવવા માટે કેમ્પનુ આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ખાડિયા વિસ્તારમાં પિયર પક્ષ વડે સાસરી પક્ષ પર હત્યા કરવાનો આક્ષેપ,પાંચ માસ ના બાળક ને ન્યાય મળે એવી માંગ કરવામા આવી

Ahmedabad Samay

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો