February 5, 2026
દુનિયા

પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના,યુક્રેનનો દાવો રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા

પાંચ દિવસથી જારી રૂસ-યુક્રેન જંગમાં આવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના છે. બંને દેશોના સૈન્‍યને જંગમાં ભારે નુકશાન ઉઠાવવું પડયુ છે. દરમ્‍યાન રાષ્‍ટ્રપતિ પુટીને પરમાણુ સેનાને તૈયાર રહેવાના આદેશ આપ્‍યા બાદ સવારે ખાર્કિવ અને કીવમાં શકિતશાશળી ધડાકા થતાં લોકો ફફડી ઉઠયા હતાં.

યુક્રેનના રાષ્‍ટ્રપતિ જેલેસ્‍કીએ બ્રિટનના પીએમ બોરિસ જોન્‍સનને કહ્યુ છે કે યુક્રેન માટે અપાવતા ૨૪ કલાક ઘણા મહત્‍વના છે. યુક્રેનના પાટનગર કીવ અને ખારકીવમાં ભયાનક ધડાકા થયા છે એર એલર્ટ જાહેર કરાયુ છે. લોકોને સલામત સ્‍થળે ચાલ્‍યા જવા જણાવાયુ છે.

યુએન ન્‍યુક્‍લિયર વોચડોગ કહે છે કે મિસાઇલો યુક્રેનની રાજધાની કિવમાં રેડિયો એક્‍ટિવ ડિસ્‍પોઝલની સાઇટ પર ત્રાટકી છે. જો કે, ઇમારતોને નુકસાન અથવા રેડિયો એક્‍ટિવ સામગ્રી છોડવાના કોઈ સંકેતો નોંધાયા નથી.
યુક્રેનની સ્‍ટેટ સર્વિસ ઓફ સ્‍પેશિયલ કોમ્‍યુનિકેશન્‍સ એન્‍ડ ઈન્‍ફોર્મેશન પ્રોટેક્‍શને જણાવ્‍યું હતું કે સોમવારે સવારે યુક્રેનની રાજધાની કિવ અને મુખ્‍ય શહેર ખાર્કિવમાં વિસ્‍ફોટના અવાજ સંભળાયા હતા. ટેલિગ્રામ મેસેજિંગ એપ પર સંક્ષિપ્ત નિવેદનમાં કહેવામાં આવ્‍યું છે કે તે પહેલા કિવમાં થોડા કલાકો સુધી શાંતિ હતી.

ઓસ્‍ટ્રેલિયા યુક્રેનને રશિયન આક્રમણનો પ્રતિકાર કરવા માટે ઘાતક લશ્‍કરી સાધનો પ્રદાન કરશે – એપી
વિદેશ પ્રધાન યોશિમાસા હયાશીએ સોમવારે જણાવ્‍યું હતું કે જાપાન બેલારુસિયન સરકારના અધિકારીઓ સહિત કેટલીક વ્‍યક્‍તિઓ સામે પ્રતિબંધો લાદવાનું વિચારી રહ્યું છે.

રશિયાએ મૃતકો અને ઘાયલોની સંખ્યાનો ખુલાસો કર્યો નથી. મેજર જનરલ કોનાશેન્કોવે કહ્યું કે યુક્રેનના સૈનિકોની સરખામણીએ રશિયાને ઘણું ઓછું નુકસાન થયું છે. જો કે યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાના લગભગ ૪૩૦૦ સૈનિકો માર્યા છે અને ૨૦૦થી વધુ સૈનિકોને યુદ્ઘબંદી બનાવ્યા છે. યુક્રેને સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કહ્યું કે જંગ શરૂ થયા બાદથી અત્યાર સુધીમાં રશિયાના ૪૩૦૦ સૈનિકો માર્યા ગયા છે. અને ૨૦૦થી વધુને યુક્રેની સેનાએ બંધક બનાવી લીધા છે.

Related posts

૮૬ વર્ષના વયે અબજોપતિ ઉદ્યોગપતિ રતન ટાટાએ આજે અંતિમ શ્વાસ લીધા, વિશ્વભરમાં શોકની લાગણી

Ahmedabad Samay

પાકિસ્‍તાન ટીમના ખેલાડીઓ ભારતીય ખેલાડીઓના હાથ મિલાવવા માટે આવવાની રાહ જોતા રહ્યા

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં યુનુસ સરકારે આતંકવાદીઓને હિન્દુ વિરોધીઓને છૂટો દોર આપી દીધો

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

ભારત અને તાલિબાન વચ્ચે પ્રથમ ઔપચારિક વાતચીત મંગળવારે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

બાંગ્લાદેશમાં હિન્દૂ યુવાન પર થયેલા અત્યાચારની આગ દિલ્હી થી કોલકત્તા અને સમગ્ર ભારતમાં ભડકી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો