June 27, 2026
અપરાધદુનિયા

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

પાકિસ્તાનમાં 135-પી, અબુધાબી કોલોનીમાં એક હિંદુ પરિવારનાં પાંચ લોકોની ક્રુરતાપુર્વક હત્યા કરી દેવામાં આવી છે.
આ હત્યાકાંડ રામચંદ મેઘવાલનાં પરિવારમાં આ હત્યાકાંડ નો બનાવવ બન્યો છે. તે ટેલરિંગની દુકાન ચલાવી રહ્યા હતાં, પાંચ લોકોની હત્યા બાદ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ અને શિખ સમુદાયમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અબુધાબી કોલોનીમાં રહેતા આ પરિવારનાં તમામ લોકોનું ગળું ધારદાર હથિયારથી કાપી નાખ્યું હતું પોલીસને ઘટના સ્થળેથી ચાકુ અને કુલ્હાડી પણ મળી આવી છે, હુમલાખોરે તેનો જ ઉપયોગ હત્યા માટે કર્યો હતો.

રામચંદ મેઘવાલની ઉંમર 35-36 વર્ષની હતી, અને પરિવાર સાથે શાંતિપુર્વક જિંદગી જીવી રહ્યા હતાં, પરંતું આતંકીઓને તે પસંદ આવ્યું નહીં, હુમલાખોર કોણ હતાં, અને હત્યાની શા માટે કરી તે જાણી શકાયું નથી.

પાકિસ્તાનમાં હિંદુઓને અવારનવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ક્યારક તેમની દુકાનો પણ લુંટી લેવામાં આવે છે, તો ક્યારેક તેમના પરિવારની યુવતીઓ અને પુત્રવધૂઓનું અપહરણ કરી તેમનું ધર્માત્તરણ કરવામાં આવે છે, તો હિંદુ અને શિખોનાં ધાર્મિક સ્થળોનો પણ ધ્વંસ કરવામાં આવે છે.

Related posts

શોર્ટ ફિલ્મ ‘નટખટ’ ઓસ્કર રેસમાં સામેલ

Ahmedabad Samay

આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ નેટવર્કનો પર્દાફાશ કરતા પોલીસે મુખ્ય સૂત્રધાર ફાલ્ગુન પટેલ સહિતના સાગરીતોની ધરપકડ કરી

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે દ્વારા સીટીએમ વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ડુપ્લિકેટ અને શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો પકડાયો

Ahmedabad Samay

અવધેશ રાયની હત્યાના મામલે પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અંસારી દોષિત, 3 દાયકા જૂનો છે કેસ

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો