May 12, 2026
અપરાધદુનિયા

પાકિસ્તાનમાં હિન્દુઓ ની દયનિય સ્થિતિ, પાકિસ્તાનમાં મેઘવાલ પરિવારનું ક્રૂરતા પૂર્વક હત્યા

પાકિસ્તાનમાં 135-પી, અબુધાબી કોલોનીમાં એક હિંદુ પરિવારનાં પાંચ લોકોની ક્રુરતાપુર્વક હત્યા કરી દેવામાં આવી છે.
આ હત્યાકાંડ રામચંદ મેઘવાલનાં પરિવારમાં આ હત્યાકાંડ નો બનાવવ બન્યો છે. તે ટેલરિંગની દુકાન ચલાવી રહ્યા હતાં, પાંચ લોકોની હત્યા બાદ પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ અને શિખ સમુદાયમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અબુધાબી કોલોનીમાં રહેતા આ પરિવારનાં તમામ લોકોનું ગળું ધારદાર હથિયારથી કાપી નાખ્યું હતું પોલીસને ઘટના સ્થળેથી ચાકુ અને કુલ્હાડી પણ મળી આવી છે, હુમલાખોરે તેનો જ ઉપયોગ હત્યા માટે કર્યો હતો.

રામચંદ મેઘવાલની ઉંમર 35-36 વર્ષની હતી, અને પરિવાર સાથે શાંતિપુર્વક જિંદગી જીવી રહ્યા હતાં, પરંતું આતંકીઓને તે પસંદ આવ્યું નહીં, હુમલાખોર કોણ હતાં, અને હત્યાની શા માટે કરી તે જાણી શકાયું નથી.

પાકિસ્તાનમાં હિંદુઓને અવારનવાર નિશાન બનાવવામાં આવી રહ્યા છે, ક્યારક તેમની દુકાનો પણ લુંટી લેવામાં આવે છે, તો ક્યારેક તેમના પરિવારની યુવતીઓ અને પુત્રવધૂઓનું અપહરણ કરી તેમનું ધર્માત્તરણ કરવામાં આવે છે, તો હિંદુ અને શિખોનાં ધાર્મિક સ્થળોનો પણ ધ્વંસ કરવામાં આવે છે.

Related posts

અમદાવાદના નરોડા વિસ્તારમાં બે મેડિકલ સ્ટોર અને દવાખાનામાં થઇ લૂંટ

Ahmedabad Samay

પોલીસ દ્વારા ઉત્તરાયણ પહેલા એસપી રિંગ રોડ નજીક ટ્રાવેલ્સ ગ્રાઉન્ડ પાસેથી 8.16 લાખ રૂપિયાની કિંમતની 2040 ચાઇનીઝ દોરીના ટેલરોં જપ્ત કર્યા

Ahmedabad Samay

ઢાકામાં હઝરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના કાર્ગો વિસ્તારમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

અમદાવાદના નિકોલ વિસ્તારમાં સર્વે કરવા ગયેલા કર્મચારી પર હૂમલો

Ahmedabad Samay

ભારતે છેલ્લા કેટલાક દિવસોમાં સિંધુ જળ સંધિને સ્‍થગિત કર્યા પછી પાકિસ્તાન ની પરિસ્‍થિતિ વધુ ખરાબ થઈ

Ahmedabad Samay

રાજકોટ નજીક ડીવાઇડરમાંથી આડે ઉતરેલા આઇસરમાં કાર ઘૂસી જતાં ડ્રાઇવર સહિત પાંચ લોકો ઘવાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો