May 10, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ગુજરાત તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરશે તે ક્રમમાં તાજેતરમાં તેઓ બે દિવસની અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્‍યા હતા.                      ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદની મુલાકાતે છે અને વિવિધ લોકાર્પણો કરી રહ્યા છે તે દરમિયાન તેવા અહેવાલો મળી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગર આવી રહ્યા છે.

વડાપ્રધાન ૨૪મીએ જામનગરમાં યોજાનાર આયુષ મંત્રાલયના એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને તેઓ ત્‍યાં નિર્માણ પામનાર વૈશ્વિક સેન્‍ટરનો શિલાન્‍યાસ પણ કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્‍યતા છે. અત્‍યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવે છે. તેઓ આ મુલાકાત દરમિયાન સૌરાષ્‍ટ્રની સ્‍પર્શતી કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્‍યતા છે.

Related posts

ઝોન ૦૭ નો ચાર્જ સંભાળતા જ અડ્ડાઓ ઉપર સપાટો બોલાવવા આદેશ આપ્‍યો

Ahmedabad Samay

સાપ્તાહિક રાશિ ભવિષ્ય જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેશભાઇ જોષી સાથે

Ahmedabad Samay

અમદાવાદ: સુદાનમાં ફસાયેલા 38 ગુજરાતીઓને ‘ઓપરેશન કાવેરી’ હેઠળ એરલિફ્ટ કરી મુંબઈ લવાયા, સ્પેશિયલ ફ્લાઇટથી અમદાવાદ લવાશે!

Ahmedabad Samay

શિક્ષણના સમર્થ શ્રી મહેશસિંહ કિરીટસિંહ ગોહિલની ઉમદા અને પ્રેરણાદાયી પહેલ

Ahmedabad Samay

ધો.૧૦ની પરીક્ષાનું આજે સવારે ૮ કલાકે પરિણામ થયું જાહેર. ધો. ૧૦નું પરિણામ ૬૫.૧૮% આવ્‍યું છે.

Ahmedabad Samay

RTE હેઠળ પ્રવેશમાં એક માત્ર સંતાન દીકરી હોય તેને પ્રાધાન્ય: કોર્પોરેશન દ્વારા તેનું પ્રમાણપત્ર સોમવારથી આપશે

admin

એક ટિપ્પણી મૂકો