March 26, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ગુજરાત તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરશે તે ક્રમમાં તાજેતરમાં તેઓ બે દિવસની અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્‍યા હતા.                      ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદની મુલાકાતે છે અને વિવિધ લોકાર્પણો કરી રહ્યા છે તે દરમિયાન તેવા અહેવાલો મળી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગર આવી રહ્યા છે.

વડાપ્રધાન ૨૪મીએ જામનગરમાં યોજાનાર આયુષ મંત્રાલયના એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને તેઓ ત્‍યાં નિર્માણ પામનાર વૈશ્વિક સેન્‍ટરનો શિલાન્‍યાસ પણ કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્‍યતા છે. અત્‍યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવે છે. તેઓ આ મુલાકાત દરમિયાન સૌરાષ્‍ટ્રની સ્‍પર્શતી કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્‍યતા છે.

Related posts

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

ચૂંટણી માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર કરાઈ  

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

કલેકટર કચેરી ખાતે કોરોના મૃતકના સહાય ફોર્મ વિતરણની કાર્યવાહી શરૂ કરવામાં આવી.

Ahmedabad Samay

“ટુંક સમયમાં ધોરણ ૬થી ૮ અને પછી ૧ થી ૭ના વર્ગો શરૂ થઈ શકે છે

Ahmedabad Samay

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો