February 5, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ગુજરાત તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરશે તે ક્રમમાં તાજેતરમાં તેઓ બે દિવસની અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્‍યા હતા.                      ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદની મુલાકાતે છે અને વિવિધ લોકાર્પણો કરી રહ્યા છે તે દરમિયાન તેવા અહેવાલો મળી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગર આવી રહ્યા છે.

વડાપ્રધાન ૨૪મીએ જામનગરમાં યોજાનાર આયુષ મંત્રાલયના એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને તેઓ ત્‍યાં નિર્માણ પામનાર વૈશ્વિક સેન્‍ટરનો શિલાન્‍યાસ પણ કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્‍યતા છે. અત્‍યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવે છે. તેઓ આ મુલાકાત દરમિયાન સૌરાષ્‍ટ્રની સ્‍પર્શતી કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્‍યતા છે.

Related posts

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

વરસાદ બાગ જૂનાગઢ હજૂ પણ પાણીમાં ગરકાવ, અનેક પશુઓના મૃતદેહ પણ મળી આવ્યા

Ahmedabad Samay

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમરેલી શહેરમાં દબાણ હટાવ ઝુંબેશ માત્ર સીનસપાટા કરવા અને નાના માણસોને નિશાન બનાવવા માટે કરવામાં આવી હોય તેવુ લાગી રહ્યુ છે.

Ahmedabad Samay

વડાપ્રધાને સંસદમાં નહીં બોલવાનું વ્રત લઈ લીધું છે. તેથી તેમનું મૌન તોડવા માટે અમારે આ અવિશ્વાસની દરખાસ્ત લાવવી પડી:ગૌરવ ગોગોઈ

Ahmedabad Samay

અમદાવાદ – જીટીયુ જીસેટ ખાતે એકેડમીક ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો