May 10, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગરની મુલાકાત લેશે

પાંચ રાજ્‍યોની ચૂંટણી પૂર્ણ થયા બાદ વડાપ્રધાન ગુજરાત તરફ ધ્‍યાન કેન્‍દ્રીત કરશે તે ક્રમમાં તાજેતરમાં તેઓ બે દિવસની અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે આવ્‍યા હતા.                      ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદની મુલાકાતે છે અને વિવિધ લોકાર્પણો કરી રહ્યા છે તે દરમિયાન તેવા અહેવાલો મળી રહ્યા છે કે, વડાપ્રધાન મોદી આવતા મહિનાને ૨૪મીએ જામનગર આવી રહ્યા છે.

વડાપ્રધાન ૨૪મીએ જામનગરમાં યોજાનાર આયુષ મંત્રાલયના એક કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે અને તેઓ ત્‍યાં નિર્માણ પામનાર વૈશ્વિક સેન્‍ટરનો શિલાન્‍યાસ પણ કરશે. વડાપ્રધાનની મુલાકાત અંગેનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને ટુંક સમયમાં તેની જાહેરાત પણ કરવામાં આવે તેવી શક્‍યતા છે. અત્‍યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તે પૂર્વે વડાપ્રધાનની આ મુલાકાત સુચક માનવામાં આવે છે. તેઓ આ મુલાકાત દરમિયાન સૌરાષ્‍ટ્રની સ્‍પર્શતી કેટલીક જાહેરાત કરે તેવી પણ શક્‍યતા છે.

Related posts

અસારવામાં 25.32 કરોડ, મણિનગરમાં 10.26 કરોડ ચાંદલોડીયમાં 48.18 કરોડના ખર્ચે તૈયાર થશે રેલ્વે સ્ટેશનો

Ahmedabad Samay

જુહાપુરમાં વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના રોકેટ ગતિએ,અમદાવાદીઓ ઝપેટમાંન આવી જતા, સાવચેતી રાખો

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

ખુશી કા આંગન ફાઉન્ડેશન દ્વારા મનથી થોડા કમજોર યુવતીઓને તેમની માનસિક અને શારીરિક સુરક્ષા ધ્યાન રાખવાનું સમજાવાયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો