March 27, 2026
ગુજરાત

અમદાવાદમાં રોગચાળો વકરતા આરોગ્ય વિભાગ સામે સવાલો, જાણો કેટલા નોંધાયા કેસો

અમદાવાદમાં રોગચાળાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આ કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યા છે. છેલ્લા 12 દિવસમાં મચ્છર અને પાણીજન્ય રોગો વધ્યા છે. 12 દિવસમાં કેટલાક કેસો ચિંતાજનક રીતે સામે આવતા આરોગ્ય વિભાગ સામે પણ કામગિરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. સોલા સિવલ, અસારવા સિવિલ તેમજ અન્ય શહેરના હેલ્થ સેન્ટરો પર કેસો સામે આવી રહ્યા છે.

રોગચાળો વધતા આરોગ્ય વિભાગની કામગિરી પર સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 140 કેસો તો દક્ષિણ પશ્ચિમ ઝોન 104 કેસો નોંધાયા છે. પૂર્વ ઝોનમાં ડેન્ગુના – 111 કેસો આમ વિવિધ વિસ્તારોમાં ઝોન પ્રમાણે રોગચાળાના કેસો જોવા મળી રહ્યા છે.

કયા રોગના કેટલા કેસો
કોલેરા – 18 કેસો
ડેન્ગ્યુ – 246 કેસો
ઝાડા ઉલટી –  481 કેસો
કમળા – 73 કેસો
ટાઈફોઈડના – 313 કેસો

ઝોન પ્રમાણે રોગચાળાના કેસોની સંખ્યા
મધ્ય ઝોનમાં – 31 કેસો
પશ્ચમિ ઝોનમાં – 79 કેસો
ઉત્તર ઝોનમાં – 63 કેસો
પૂર્વ ઝોનમાં ડેન્ગુના – 111 કેસો
ઉત્તર પશ્ચિમ ઝોનમાં 140
દક્ષિણ પશ્ચિમ ઝોન 104 કેસો

આરોગ્ય વિભાગે સક્રીય થઈને વધુ કામગિરી કરવાની જરુર છે. કેમ કે, ચોમાસામાં રોગનો ભરડો વધી શકે છે. ત્યારે આ બાબતે શહેરમાં મચ્છરજન્ય રોગચાળા અને પાણીજન્ય રોગચાળા મામલે અવેરનેસથી લઈને એક્શન લેવા સુધીની કામગિરી કરવી જરુરી છે.

Related posts

ગાબડું : બનાસકાંઠા ના લાલપુરા ની સીમ માંથી પસાર થતી એટા-માઈનોર ૩૦ ફૂટ નું ગાબડું ,ખેડૂત ને ભારે નુકશાન ,ખેતરો બેટ માં ફેરવાયા

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

ત્રીજી લહેરમાં બાળકો પર ખતરાની વાતથી સુપ્રીમ કોર્ટ પણ ચિંતામાં

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો