પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલ ગુરૂવારે તા. ર જૂનના રોજ ભાજપમાં સામેલ થશે. તેમણે થોડા દિવસો પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામુ ફગાવ્યુ હતું. તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા પણ ઉપેક્ષાના કારણે તેઓ લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા હતાં.
હાર્દિક પટેલ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની હાજરીમાં ભાજપમાં સામેલ થશે. હાર્દિકનો પાર્ટીમાં સામેલ થવાનો કાર્યક્રમ ભાજપ ગ્રાન્ડ ઇન્વેટમાં બદલવા માંગે છે.
મળતી માહિતી મુજબ હાર્દિક સાથે ૧પ હજાર અન્ય લોકો પણ ભાજપમાં સામેલ થશે. હાર્દિકના ભાજપમાં સામેલ થવાને પાટીદાર રાજકારણ માટે અહમ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ર૦૧પ માં થયેલ પાટીદાર આરક્ષણ આંદોલનનો હાર્દિક મુખ્ય ચહેરો હતાં. કોંગ્રેસમાં તેમની એન્ટ્રી બાદ પાર્ટી માની રહી હતી કે તેમને પાટીદાર સમાજનું સમર્થન મળશે. પણ ર૦૧૭ ની વિધાનસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબના સારા પ્રદર્શન છતાં કોંગ્રેસ સત્તાથી દુર જ રહી હતી.
હવે તેમના ભાજપમાં જવા બાદ કોંગ્રેસ માટે ચૂંટણી પહેલા મોટો જાટકો છે. તે પહેલાથી જ સતત નેતાઓના પલાયન સામે ઝઝૂમી રહી છે. કે હાર્દિકને લઇને ભાજપ તરફથી આધિકારીક જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ પાટીદાર આંદોલન દરમિયાન એક મામલામાં હાર્દિકને કોર્ટે રાહત આપી હતી. તેવામાં હાર્દિકનો ચૂંટણી લડવાનો રસ્તો પણ કલીયર થઇ ગયો છે. તેવામાં હાર્દિક ભાજપની ટીકીટ ઉપર વિધાનસભાની ચૂંટણી લડે તે પણ લગભગ નકકી જ છે.
