June 24, 2026
ગુજરાત

મધુવન ગ્લોરીમાં કાર્યભાર માટે નવી કમિટી રચાઇ

મધુવન ગ્લોરી ફ્લેટના માજી . ચેરમેન શ્રી એ તારીખ : – 16 / 08 / 2020 ના રોજ કમિટી બરખાસ્ત કરી હતી , જે કારણ કે તેઓ કમિટી ના અન્ય ચાર મેમ્બરો ને જાણ કર્યા વગર સલાહ સૂચન કર્યાં વગર સોસાયટીના કોઇ પણ પગલા ભરી લેતા હતા કોઈપણ કાર્ય નિયમ પ્રમાણે કાર્ય કરતા ન હતા . ફક્ત આદેશ જ કરતા હતા કે સિકયુરિટી આવી ગઈ , લિફ્ટ નું કામ સોંપી દીધું છે , સફાઇ નું કામ સોંપી દીધું , ગાર્ડન નું કામ સોંપી દીધું . પરંતુ ક્વોટેશન પ્રમાણે કમિટી નાં કામો થતા ન હતા અને આજ દિન સુધી લિફ્ટ કોંટ્રાક્ટર પાસે પોતાનું લાયસન્સ છે કે કેમ તે પણ એક પણ ખબર નથી . સોસાયટી ની લિલ્ટ ની AMC પરમીશન હાલ ચાલું છે કે કેમ તે પણ આજ દિન સુધી કોઈ ને ખબર નથી .સોસાયટીના તમામ ડોક્યુમેન્ટ જે તિજોરી માં મૂકેલ છે . તેની ચાવી ફક્ત માજી ચેરમેન પાસે જ રહે છે . જેથી કોઈ પણ બાબત ની કમિટી ના અન્ય મેમ્બરો ને જાણ નથી.માજી ચેરમેન શ્રી એ કમિટી બરખાસ્ત કરી તે પત્ર માં એવું જણાવેલ કે તારીખ : -31/08/2020 સુધી માં નવી કમિટી બનાવી તેને કમિટી નું સાહિત્ય સોંપી દેવામાં આવશે . પરંતુ નવી કમિટી રચવામાં આવવાની હતી તે નક્કી કરેલ ચુંટણી ની તારીખ : -06/09/2020 ના રોજ જ્યારે સભ્યો વોટિંગ કરવા આવ્યાં ત્યારે માજી ચેરમેનશ્રી પોતાના અન્ય કામ છે કહી નીકળી ગયા હતા ,

 

તેમનું આ ગેરવર્તન બાબતે સહકારી મંડળીમાં વિરોધ જતાવતા સહકારી મંડળી દ્વારા ન્યાય ની દ્રષ્ટિએ નવી કમિટી બનાવવા અને માજી ચેરમેન ને સૂચના કરાઇ હતી કે તમામ ડોક્યુમેન્ટ નવા કમિટીને સોપવામાં આવે. સહકારી મંડળીના સૂચના મુજબ મુકેશ સિંહ પરિહાર ની આખી ટીમને તમામ સભ્યોએ સાથ આપી સોસાયટી ની દેખરેખ માટે કાર્યભાર સોપવા આવ્યો અને લોકોને ચેરમેન ના તાનાશહી રાજથી મુક્તિ મળી લોકોને હવે આશા છે કે સોસાયટીમાં દરેક કાર્ય વ્યવસ્થિત થશે અને અનુશાસન જળવાઇ રહેશે,

વધુ માં ઉલ્લેખનીય છે કે માજી ચેરમેન  એ હજુ સુધી લેટરપેડ પર જાહેરનામું જાહેર કર્યું નથી કે સોસાયટીમાંના બેંક ખાતામાં પણ પોતાની સહી પાછી ખેંચી નથી ફક્ત સોસાયટીના નોટીસ બોર્ડ પર રાજીનામુ આપેલ છે ચેરમેન દ્વારા સરકારી મંડળી ના સુચના નું પણ પાલન કરવામાં આવ્યું નથી જેથી સોસાયટીના અન્ય કાર્યભાર સંભાળવા નવી કમિટી માટે મુશ્કેલી નો સામનો કરવો પડી શકે છે

Related posts

કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

શહેરની નામાંકિત બે ક્લબોએ કર્યો મહત્વનો નિર્ણય, સંક્રમણ વધતા કલબમાં ધૂળેટી નહીં ઉજવાય

Ahmedabad Samay

ગુજરાતમાં પણ ‘ લવ જેહાદ ‘ વિરુદ્ધ કાયદાના ભણકારા

Ahmedabad Samay

ગુરુપૂર્ણિમા નિમિત્તે આનંદ અમ્રૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચોપડા વિતરણ કરાયું

Ahmedabad Samay

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

૧ થી ૫ ધોરણના વર્ગો ઓફલાઇન શરૂ કરવામાટે ગંભીર વિચારણા હાથધરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો