અમદાવાદના અડાલજ પાસે ૧૩ વર્ષની બાળકીના અપહરણનો કિસ્સો બનવા પામેલ છે આશરે એક મહિનો થવા આવ્યો હોવા છતા પોલીસ હાથ ઉપર હાથધરી બેસી છે
અમદાવાદના અડાલજમાં ચાર બાળકો સાથે રહી બ્રહ્માણી પાન પાર્લર નામનો ગલ્લો ચલાવતી યુવતીની ૧૩ વર્ષની બાળકીનું અજાણ્યા ઈસમોએ અપહરણ કર્યા હોવાની ઘટના બનવા પામી છે.
અપહરણની વિગત આપતા જણાવ્યું હતું કે ૧૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ બપોરના આશરે એક થી દોઢ વાગે મારી દીકરીએ જણાવ્યું કે હું સામેથી ચોકલેટ લઇ આવું છુ આપણી પાસે નથી કહીને ગઇ અને મોડા સુધી તે ઘરે પરત ન ફરતા આજુબાજુમાં તથા સંગા સંબંધીઓમા તપાસ કરતા કોઈ જગ્યાએ ન મળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અપહરણના થોડા દિવસ બાદ માતાને સુરેશ નામના શખ્સનો ફોન આવ્યો હતો અને તેમને પૈસા આપીને દીકરીને ભૂલી જવાનું જણાવ્યું હતું આ વાતની પોલીસને જાણ કરવામાં આવી હતી તો પણ પોલીસ દ્વારા કોઈપણ યોગ્ય પગલા લેવામા આવ્યા નથી, માતા તેની દીકરીને એક મહિનાથી જ્યાં ત્યાં શોધી રહી છે હજુ સુધી તેના વિશે કોઈ પણ માહિતી મળી નથી પોલીસ પણ આ અંગે તપાસ કરવામાં કચાસ કરી રહી છે.
