May 7, 2026
ગુજરાત

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

ત્રીજા રાઉન્ડના વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના કારણે ભારે તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જૂનાગઢ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ.

ગુજરાતના જૂનાગઢમાં દાતા રોડ પર 2 માળની ઈમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. જૂનાગઢના કડિયાવાડમાં એક મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઇમારત ધરાશાયી થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, શનિવારે (22 જુલાઈ) રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચારેબાજુ માત્ર કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત તમામ રાહત વાહનો સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પણ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. જેસીપીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા એ પ્રાથમિકતા છે.

Related posts

અમદાવાદ: રાજ્યમાં ફરી કોરોના મહામારીનો પગ પસેરો! એક જ દિવસમાં ત્રણ સંક્રમિત દર્દીનાં મોત, જાણો રાજ્યમાં કેવી છે સ્થિતિ?

admin

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

ભારત વિશ્વ મહાસત્તામાં ત્રીજા સ્થાને

Ahmedabad Samay

અમદાવાદ – જીવરાજ પાર્ક અવધ આર્કેટમાં લાગી આગ, 4 લોકોનું રેસ્ક્યુ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા

Ahmedabad Samay

ફરી લોકડાઉન,૦૮ વાગ્યા બાદ બધું બંધ અફવા,૭ વાગ્યા પછી ફક્ત હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજારો ફરજિયાત પણે બંધ

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો