March 23, 2026
ગુજરાત

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

ત્રીજા રાઉન્ડના વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના કારણે ભારે તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જૂનાગઢ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ.

ગુજરાતના જૂનાગઢમાં દાતા રોડ પર 2 માળની ઈમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. જૂનાગઢના કડિયાવાડમાં એક મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઇમારત ધરાશાયી થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, શનિવારે (22 જુલાઈ) રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચારેબાજુ માત્ર કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત તમામ રાહત વાહનો સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પણ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. જેસીપીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા એ પ્રાથમિકતા છે.

Related posts

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો વડોદરાથી થયું પ્રારંભ

Ahmedabad Samay

બંગાળમાં ઇલેક્શન બાદ ફાટી નીકળેલ હિસ્સા પર અખિલ વિશ્વ હિન્દુ એકતા મચે કરી લાલઆંખ,રાષ્ટ્રપતિ શાસન ની કરી માંગ

Ahmedabad Samay

મધ્યપ્રદેશ સરકારે કોરોનાને કારણે લગાવેલ તમામ પ્રતિબંધ હટાવ્યા, ગુજરાતમાં પણ માર્ચમાં કોરોના પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે

Ahmedabad Samay

જો જો ગાઈડલાઈન ભંગ કરવામાં ઉત્તરાયણ બગડે નહિ, ગાઈડલાઈન એક વાર જરૂર વાંચજો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો