March 25, 2025
ગુજરાત

જૂનાગઢ: બે માળની ઈમારત ધરાશાયી, 6 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા

ત્રીજા રાઉન્ડના વરસાદે સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી દીધો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાનના કારણે ભારે તબાહીનું દ્રશ્ય સર્જાયું છે. લોકો હવે મેઘરાજાને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના જૂનાગઢ શહેરમાં સોમવારે એક દુ:ખદ ઘટનામાં બે માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ.

ગુજરાતના જૂનાગઢમાં દાતા રોડ પર 2 માળની ઈમારત ધરાશાયી થતાં ખળભળાટ મચી ગયો છે. આ દુર્ઘટનામાં ઘણા લોકો દટાયા હોવાના સમાચાર છે. જૂનાગઢના કડિયાવાડમાં એક મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દટાઈ ગયા. ઇમારત ધરાશાયી થતાં જ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. મેયર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. નોંધનીય છે કે, શનિવારે (22 જુલાઈ) રાજ્યમાં ભારે વરસાદ બાદ અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી.

આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ચારેબાજુ માત્ર કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે અને સ્થળ પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિત તમામ રાહત વાહનો સ્થળ પર હાજર છે અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પણ રાહત કાર્યમાં મદદ કરી રહ્યા છે. જેસીપીની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. તમામ વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કાટમાળ નીચે ફસાયેલા લોકોને બચાવવા એ પ્રાથમિકતા છે.

Related posts

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાંથી ગુજરાત મુલાકાત દરમિયાન બે રેલીઓ સંબોધશે

Ahmedabad Samay

હોટલમાં નહિ આવે તો કપડા બદલતો વિડીયો વાયરલ કરવાની હવસખોરની ધમકી

Ahmedabad Samay

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

Ahmedabad Samay

ક્ષત્રિયોનો ઉગ્ર આંદોલ હોવા છતાં પરસોત્તમ રૂપાલાનો જોરો શોરોથી ચૂંટણી પ્રચાર યથાવત

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

ભરૂચમાં આગની ઘટનામાં મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા સહાયની જાહેરાત કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો