February 6, 2026
ગુજરાત

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ ઘણા વર્ષોથી અમદાવાદમાં કાર્યરત છે. આ ટ્રસ્ટ મુખ્યત્વે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરનું સંચાલન તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે, આ સાથે ગત કેટલાક વર્ષોથી શ્રાવણ મહોત્સવનું પણ આયોજન કરે છે. જેનો ઉદ્દેશ સમાજના લોકોમાં ધાર્મિક ઉપરાંત સાંસ્કૃતિક ચેતના જગાવવાનો છે તથા સમાજમાં અલગ અલગ વયજૂથના લોકો જેમકે બાળકો, મહિલાઓ, યુવાઓ તથા વડિલોમાં રહેલી પ્રતિભાઓને મંચ પૂરો પાડવાનો છે.

જેમાં ચિત્ર, વેશભૂષા, પ્રશ્નોત્તરી, શૈક્ષણિક માર્ગદર્શન, વરિષ્ઠ નાગરિકો માટે ધાર્મિક પ્રવાસ, રંગોળી, રસોઈ, ભજન, ગાયન, પરંપરાગત લોકનૃત્ય, ડાન્સ વગેરે વિવિધ કાર્યક્રમોને પ્રોત્સાહન આપવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ સ્વ. શ્રી શ્યામપ્રસાદ વસાવડા કમ્યુનિટી હોલ, ખોખરા, અમદાવાદ ખાતે તા. ૨૪-૦૮-૨૦૨૫, રવિવારના રોજ શ્રાવણ મહોત્સવ-૨૦૨૫ નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે જેમાં સમાજના લોકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમ કે પ્રથમ સત્રમાં સવારે ૯:૦૦ વાગ્યાથી ૧૧:૦૦ વાગ્યા સુધી
–    ચિત્ર સ્પર્ધા (બાળકો, કિશોર, વયસ્ક)
–    મહિલાઓ માટે રંગોળી સ્પર્ધા
–    રસોઈ સ્પર્ધા
–    શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ગડ કિલ્લાઓ આધારિત પ્રશ્નોત્તરી

બીજા સત્રમાં સાંજે ૪:૦૦ વાગ્યે ટ્રસ્ટીશ્રી દ્વારા દીપ પ્રજજ્વલનથી શરુઆત કરી નિર્ધારિત કાર્યક્રમોની રૂપરેખા અનુસાર
–    ગણેશ વંદના
–    રાષ્ટ્રગીત
–    ટ્રસ્ટની સમિતિના દિવંગતશ્રી,‌પહેલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નાગરિકો તથા અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકો માટે શ્રદ્ધાંજલિ
–     વિદ્યા પુરસ્કાર
–     સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રથમ ચરણ
–     અતિથિ વિશેષ તથા આમંત્રિતોનું સન્માન
–     સમાજ ગૌરવ
–     પ્રેરણાસ્ત્રોત
– ‌    સાંસ્કૃતિક કાર્યક્રમોનું અંતિમ ચરણ

અને ત્યારબાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવશે.

Related posts

અટલાદરા ખાતે BAPS ના યજનાપુરુષ સભાગ્રહ ખાતે કોરોનાની સારવાર માટે 500 બેડ મુકાશે

Ahmedabad Samay

કાંકરેજના શિહોરી ખાતે પાંચ પરગણા ઔદિચ્ય બહ્મ સમાજ દ્વારા કિંજલ દવે એ આંતરજ્ઞાતિય સગાઈ કરતા પરિવારનો સામાજિક બહિષ્કાર કરાયો

Ahmedabad Samay

રામ મંદિરનો વિરોધ કરનાર હવે સંસદ ભવનનો વિરોધ કરે છે – ગૃહમંત્રી હર્ષ સંઘવી

admin

લોકડાઉન૪.૦ માં ગુજરાતમાં શુ ખુલશે અને શુ નહિ ખુલ્લે, સાંજ સુધી થશે જાહેરાત

Ahmedabad Samay

CM રૂપાણીએ આપ્યું રાજીનામુ, નવા CM કોણ ? બન્યો ચર્ચાનો વિષય

Ahmedabad Samay

જી.સી.એસ હોસ્પિટલના સ્ટાફે ૧૦૦૦ થી વધારે કપડાં-વસ્તુઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પહોંચાડી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો