May 15, 2026
રાજકારણ

રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમની કરી શકે છે યાત્રા, બાપુના જન્મ સ્થળ પોરબંદર યાત્રાનું અંતિમ સ્થળ

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના પાર્ટ-2 પર જવાની યોજના બનાવી રહ્યા છે.  ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમની યાત્રા પર જઈ શકે છે. કોંગ્રેસના 85માં રાષ્ટ્રીય અધિવેશનમાં આના સંકેતો મળ્યા છે. રાહુલની યાત્રાનો આરંભ સ્થળ પાસીઘાટથી થશે, જ્યારે તે પોરબંદરમાં સમાપ્ત થશે. જો રાહુલ ગાંધીની આ યાત્રાની શરુઆત થાય છે તેઓ લાંબી યાત્રા શરુ કરી શકે છે જે બાપુના જન્મ સ્થળ સુધી પહોંચશે.

2024ની ચૂંટણી પહેલા આ યાત્રા શરુ થઈ શકે છે. ગુજરાતમાં પાર્ટીએ ગુજરાતમાં વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવ્યું છે. સીટો 77 થી ઘટીને માત્ર 17 થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં તેઓ યાત્રા કરી શકે છે.

આ યાત્રાનું નામ તપસ્યા યાત્રા હોઈ શકે છે
રાયપુરમાં કોંગ્રેસના ત્રણ દિવસીય 85માં અધિવેશનમાં પણ આના સંકેતો મળ્યા હતા. રાહુલનું આ અરુણાચલ પ્રદેશથી શરૂ થઈને ગુજરાતમાં સમાપ્ત થશે. આ યાત્રાનું નામ હજુ સુધી સંપૂર્ણ રીતે નક્કી નથી થયું, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યાત્રાનું નામ તપસ્યા યાત્રા હોઈ શકે છે. રાહુલ ગાંધીની મુલાકાતની ચર્ચાથી ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા છે. વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ ઉત્સાહ જોઈ રહેલી પાર્ટીને મોટા બૂસ્ટર ડોઝની જરૂર છે. રાહુલ લાંબા સમય બાદ ગુજરાતમાં મુલાકાતના રૂપમાં હાજર રહેશે.

અગાઉ ઘણા સમય પહેલા રાહુલ ગાંધીએ પોરબંદરની કરી હતી મુલાકાત
રાહુલની આ યાત્રાને પૂર્વથી પશ્ચિમની યાત્રા કહેવામાં આવી રહી છે. ગત વખતે જ્યારે રાહુલ ગાંધી પોરબંદર પહોંચ્યા હતા ત્યારે તેમણે લાંબા સમય સુધી મહાત્મા ગાંધી સાથે જોડાયેલી બાબતો જોઈ અને સમજ્યા હતા, રાહુલ ગાંધી પોરબંદર પહોંચ્યા ત્યારે તેઓ કોંગ્રેસના ઉપાધ્યક્ષ હતા. પોરબંદરની એ મુલાકાત પછી રાહુલે ઘણા લાંબા સમય બાદ આ મુલાકાત હશે. કોંગ્રેસના કાર્યકરોને આશા છે કે આ વખતે રાહુલ ગાંધીની મુલાકાત ફાયદાકારક રહેશે. તેમની છેલ્લી મુલાકાતમાં રાહુલ ગાંધીએ પોરબંદરની મુલાકાત દરમિયાન માછીમારોને પણ મળ્યા હતા જ્યાં ચૂંટણીની મોસમમાં નોટબંધીના મુદ્દે ભાજપની કેન્દ્ર સરકારને ઘેરવામાં આવી હતી. ત્યારે રાહુલ ગાંધી પણ કીર્તિ મંદિર ગયા હતા અને ત્યાં ઘણો સમય વિતાવ્યો હતો.

Related posts

નીતિન નબીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની કર્મભૂમિ એવા ગુજરાતની મુલાકાતે પધાર્યા

Ahmedabad Samay

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના સાવકા ભાઈ પ્રતીક યાદવનું અચાનક નિધન થયું

Ahmedabad Samay

આપ ની ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી

Ahmedabad Samay

નવા મંત્રીઓનું સસ્‍પેન્‍સ ધીરે ધીરે ખૂલી રહ્યું છે. નવા મંત્રી મંડળમાં સામેલ થનારા મંત્રીઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ

Ahmedabad Samay

જુનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને પછડાટ

Ahmedabad Samay

નવા મંત્રીમંડળમાં યુવા અને નાની વયના નેતાનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણમાં ઘણા નેતાઓ ને નાની વ્યમાંજ મંત્રી પદ આપ્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો