March 25, 2026
Other

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

3 માર્ચના રોજ સીએનજી પંપો રાજ્યભરમાં બંધ રાખવાને લઈને બુધવારે એસોસિએશને એલાન કર્યું હતું ત્યારે આવતીકાલથી આ નિર્ણય પંપો બંધ રાખવાને લઈને મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉના નિર્ણયને હાલ સરકાર સાથે બેઠક બાદ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.

રાજ્યભરના સીએનજી પંપો દ્વારા કમિશનની માંગને લઈને શુક્રવાર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાને લઈને એલાન કરાયું હતું ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી હતી. ત્યારે સીએનજી વાહન ચાલકોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા હતા. જેમાં આવતીકાલે પંપો બંધ રાખવાનો નિર્ણય એસોસિએશને પાછો લીધો છે. કમિશનના પ્રશ્નો હતા તે મામલે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી.

ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરાશે તેમ ચિમકી ઉચ્ચારી હતી.

સીએનજી વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી હતી. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.   સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી હતી. જો કે, બેઠક બાદ કોઈ સમાધાન નિકળ્યું ના હોવાનું અનુમાન છે.

Related posts

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સુરત અને અમદાવાદના અનેક કાર્યક્રમોમાં આપી હાજરી

Ahmedabad Samay

ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો હોવાથી મહારાષ્ટ્ર ના મુંબ્રા અને દિવા રેલવે સ્‍ટેશનો વચ્‍ચે રવિવારે  દુખદ ટ્રેન દુર્ઘટના ઘટી

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદના પગલે વાસણા બેરેજના બે ગેટ 2 ફૂટ ખોલવામાં આવ્યા

Ahmedabad Samay

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો થઇ જાહેર

Ahmedabad Samay

મિશ્ર પ્રતિસાદ હોવા છતાં લાલ સલામને સારી હેડલાઇન્સ મેળવવામાં સફળ રહી

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો