May 7, 2026
Other

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

3 માર્ચના રોજ સીએનજી પંપો રાજ્યભરમાં બંધ રાખવાને લઈને બુધવારે એસોસિએશને એલાન કર્યું હતું ત્યારે આવતીકાલથી આ નિર્ણય પંપો બંધ રાખવાને લઈને મોકૂફ રાખવામાં આવ્યો છે. અગાઉના નિર્ણયને હાલ સરકાર સાથે બેઠક બાદ મોકુફ રાખવાનો નિર્ણય લીધો છે.

રાજ્યભરના સીએનજી પંપો દ્વારા કમિશનની માંગને લઈને શુક્રવાર અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાને લઈને એલાન કરાયું હતું ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડિલર્સ એસોસેએશન દ્વારા આ જાહેર કરવામાં આવી હતી. ત્યારે સીએનજી વાહન ચાલકોને રાહત મળે તેવા સમાચાર સામે આવ્યા હતા. જેમાં આવતીકાલે પંપો બંધ રાખવાનો નિર્ણય એસોસિએશને પાછો લીધો છે. કમિશનના પ્રશ્નો હતા તે મામલે રાજ્ય સરકાર સાથે બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે માટે 10 ટકા વધારાની માંગ કરવામાં આવી હતી.

ડીલર માર્જિનમાં વધારો ના થાય ત્યાં સુધી સીએનજી વેચાણ પર આ મામલે નિર્ણય લેવામાં આવ્યો હતો. નવી જાહેરાત ના થાય ત્યાં સુધી આ પ્રકારે નિર્ણય લેવામાં આવ્યો હતો. માર્જિન નહીં વધારવામાં આવે તો વેચાણ બંધ કરાશે તેમ ચિમકી ઉચ્ચારી હતી.

સીએનજી વેચાણ મામલે માર્જિન ના વધતા આ નારાજગી જોવા મળી હતી. અચોક્કસ મુદ્દતે હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું.   સરકારે CNG પરનો વેટ 15 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે ત્યારે બીજી તરફ માર્જિન મામલે નારાજગી જોવા મળી હતી. જો કે, બેઠક બાદ કોઈ સમાધાન નિકળ્યું ના હોવાનું અનુમાન છે.

Related posts

રીક્ષા ચાલકોએ હવેથી તમામ વિગતો પોતાની રીક્ષા પાછળ લખવાની રહેશે.  રીક્ષા પાછળ હવે રિક્ષા ચાલકનું નામ, રીક્ષા માલિકનું નામ, રીક્ષાનો નંબર લખવો ફરજીયતા બનશે

Ahmedabad Samay

રાજ્યકક્ષાનાં “ચોટીલા ઉત્સવ-૨૦૨૩” નો નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે શુભારંભ

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

બ્રહ્માકુમારીઝના આંતરરાષ્‍ટ્રીય સ્‍પીકર શિવાની દીદીએ જણાવ્‍યુ હતુ.  કે જે વસ્‍તુને શોધવા આપણે બહાર ફાફા મારીએ છીએ તે વસ્‍તુતો આપણી અંદર જ હોય છે

Ahmedabad Samay

ગિરનાર મહાશિવરાત્રીનો ચાર દિવસીય મેળો આજે અંતિમ ચરણમાં

Ahmedabad Samay

ચૂંટણી પંચે પરશોત્તમ રૂપાલાને ક્‍લિન ચીટ આપી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો