August 7, 2026
ગુજરાત

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળી ધજા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારૂ છે અહીંથી નર્મદા કેનાલ થકી ડેમ ભરી સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડાય છે.હાલ ઉનાળા પહેલા જિલ્લાના જળાશયો તળીયા ઝાટક થઇ જતા ડેમમાં પણ પાણી ઓછુ થતુ હતુ.

…ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો.આ અંગે ડેમના એન્જીનીયર વનરાજભાઇ જમોડે જણાવ્યુકે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ઉનાળામાં પીવાનુ પાણી પુરૂ પાડવા માટે સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાંથી ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ.જેનાકારણે ડેમ 100 ટકા ભરાઇ જવાથી ઓવર ફ્લો થયો હતો.આથી ભોગાવો નદીમાં પાણી છોડાયુ હતુ. હાલ ડેમની પાણીની સપાટી 98 ટકાએ સ્થિર છે. આમ ડેમ ઓવર ફ્લો થતા કોઇ જાનહાની ન થાય માટે તાકીદના પગલે શહેરના જિલ્લા પંચાયતથી બહુમાળી ભવનને જોડતા કોઝવે અને વઢવાણ જીઆઇડીસી કોઝવે પર આડશો મુકી લોકોને પસાર થતા અટકાવી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આમ જિલ્લાના ડેમમાં પાણી આવતા લોકોને પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં નહીં રહે તેવી આશા છે. જ્યારે બીજી બાજુ તંત્રની બેદરકારી સામે લોકોમા પણ રોષ જોવા મળ્યો હતો

Related posts

અમદાવાદમાં લોકસભા ચુંટણી પહેલા પોલીસે પરવાના વાળા હથિયાર જમા કરી પેરામિલિટરી સાથે ફૂટ પેટ્રોલિંગ કર્યું

Ahmedabad Samay

કોરોના કેસ વધતા સુપર સ્પ્રેડરના ફરીથી ટેસ્ટ કરવા નિર્ણય લેવાયો

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટીની સોમવાર સુધી બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો