May 8, 2026
ગુજરાત

સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં પાણીનો વેડફાટ થતાં લોકોમાં રોષ

સુરેન્દ્રનગર શહેરમાં આવેલો ધોળી ધજા ડેમ સૌરાષ્ટ્ર અને કચ્છનું પાણીયારૂ છે અહીંથી નર્મદા કેનાલ થકી ડેમ ભરી સૌરાષ્ટ્ર કચ્છના ગામોને સૌની યોજના હેઠળ પાણી પહોંચાડાય છે.હાલ ઉનાળા પહેલા જિલ્લાના જળાશયો તળીયા ઝાટક થઇ જતા ડેમમાં પણ પાણી ઓછુ થતુ હતુ.

…ત્યારે ડેમમાં કેનાલના પાણી ઠાલવી પુરો ભરી દેવાતા ઓવર ફ્લો થયો હતો.આ અંગે ડેમના એન્જીનીયર વનરાજભાઇ જમોડે જણાવ્યુકે સુરેન્દ્રનગર સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં ઉનાળામાં પીવાનુ પાણી પુરૂ પાડવા માટે સૌરાષ્ટ્ર નર્મદા કેનાલમાંથી ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હતુ.જેનાકારણે ડેમ 100 ટકા ભરાઇ જવાથી ઓવર ફ્લો થયો હતો.આથી ભોગાવો નદીમાં પાણી છોડાયુ હતુ. હાલ ડેમની પાણીની સપાટી 98 ટકાએ સ્થિર છે. આમ ડેમ ઓવર ફ્લો થતા કોઇ જાનહાની ન થાય માટે તાકીદના પગલે શહેરના જિલ્લા પંચાયતથી બહુમાળી ભવનને જોડતા કોઝવે અને વઢવાણ જીઆઇડીસી કોઝવે પર આડશો મુકી લોકોને પસાર થતા અટકાવી અને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.આમ જિલ્લાના ડેમમાં પાણી આવતા લોકોને પીવાના પાણીની સમસ્યા ઉનાળામાં નહીં રહે તેવી આશા છે. જ્યારે બીજી બાજુ તંત્રની બેદરકારી સામે લોકોમા પણ રોષ જોવા મળ્યો હતો

Related posts

TRP ગેમ ઝોનમાં અનેક પરિવારના માસુમ ભૂલકાંઓ દુર્ઘટનાનો ભોગ બન્યા છે, અત્યાર સુધીમાં ૨૬ જેટલા મૃતદેહ મળ્યા

Ahmedabad Samay

મલ્‍ટી કોમોડિટી એક્‍સચેન્‍જ અને બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો

Ahmedabad Samay

ડીસેમ્બર મહિના સુધી ધોરણ ૧ થી પ ના વર્ગ નહિ ખુલ્લે

Ahmedabad Samay

સ્કૂલની બેદરકારી આવી સામે,ઠક્કર બાપાનગર વિસ્તારમાં આવેલી રઘુવીર સ્કૂલનો ગુમ થયેલો વિદ્યાર્થી ગઈકાલે મોડી રાત્રે એક વાગે કાલુપુર રેલવે સ્ટેશન ઉપરથી મળી આવ્યો.

Ahmedabad Samay

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી ૧૬ વર્ષીય કિશોરીનું કોરોનાને કારણે કરુણ મોત

Ahmedabad Samay

ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટીની બબીતા જૈન દ્વારા જન સમ્પર્ક પુર જોશમાં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો