March 10, 2026
અપરાધ

રાજકોટમાં કાર પાર્ક કરવા જેવી સામાન્ય બાબત પર બે પાડોશીઓ વચ્ચે બઘડાટી બોલાઈ, મહિલા સહિત ત્રણ ઇજાગ્રસ્ત

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે.ત્યારે ગઈકાલે વધુ એક મારામારીનો બનાવ સામે આવ્યો છે.જેમાં કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા પાસે કાર પાર્ક કરવા બાબતે બે પાડોશીઓ વચ્ચે સહસ્ત્ર ધીંગાણું ખેલાયું હતું. જેમાં મહિલા સહિત ત્રણને ઈજા પોહચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ યુનિવર્સિટી કોલેજના પોલીસના હોસ્પિટલે દોડી જઇ બંને પક્ષોની ફરિયાદ પરથી ત્રણ મહિલા સહિત 11 સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. આ અંગે કાલાવડ રોડ પર આવેલા લક્ષ્મીના ઢોરા પાસે રહેતા મનોજભાઈ લાલજીભાઈ પરમારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમને આરોપીમાં તેમના પાડોશમાં રહેતા અશોક મારુ,જગદીશ રાઠોડ,રંજન રાઠોડ અને પુષ્પા મારુના નામો આપ્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે અશોક મારુંએ કાર પાર્ક કરી હતી જે બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થતાં જગદીશ રાઠોડરંજન રાઠોડ અને પુષ્પા મારૂ એ ધોકા પાઇપ વડે ફરિયાદી મનોજભાઈ પર હુમલો કરી માર માર્યો હતો જેમાં તેને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.અને તેમની ફરિયાદ પરથી પોલીસે ચાર સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે સામેના પક્ષના પુષ્પાબેન અશોકભાઈ મારૂએ પોતાની ફરિયાદમાં આરોપીઓમાં મનોજ પરમાર,સુનિલ રાઠોડ,જીગ્નેશ રાઠોડ,દિનેશ રાઠોડ,સાવન પરમાર અને ભાવના મારું ના નામો આપ્યા હતાજેમાં તેને જણાવ્યું હતું કે,તેમના પતિએ તેમના ઘર નજીક કાર પાર્ક કરી હતી જે બાબતે તે આરોપી મનોજે બોલાચાલી કરી ઝગડો કર્યો હતો.અને તેની સાથેના આરોપીઓએ ધોકા પાઈપ વડે પુષ્પાબેન અને તેના પતિને માર મારતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેથી પોલીસે પુષ્પાબેનની ફરિયાદ પરથી સાત સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Related posts

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણમાં બની હત્યાની ઘટના

Ahmedabad Samay

આસારામને રાજસ્થાન હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે આસારામને તબીબી કારણોસર છ મહિનાના વચગાળાના જામીન મંજૂર કર્યા

Ahmedabad Samay

દેશને હચમચાવીદે તેવી ઘટના,શ્રીનગરમાં હિન્દુ અને શિખ શિક્ષકને સ્કૂલમાં ઘૂસીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતાર્યા

Ahmedabad Samay

રાજકોટમાં યુવા ભાજપના નેતાએ જાહેરમાં કર્યું ફાયરીંગ, નેતાની ખુલ્લેઆમ દાદાગીરી

Ahmedabad Samay

નરોડા હત્યાકાંડા મામલે આજે 21 વર્ષે આવશે ચૂકાદો, ટૂંક સમયમાં આવશે ચૂકાદો, જાણો શું હતો મામલો

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં કૂતરાને સાચવવા બાબતે થઇ માથાકૂટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો