August 10, 2026
અપરાધતાજા સમાચારદેશ

રાજધાની દિલ્હીમાં સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકો

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે સાંજે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર-૧ નજીક એક ઈકો વાનમાં થયેલા જોરદાર ધમાકાથી અફરાતફરી મચી ગઈ છે. આ હાઈ ઇન્ટેન્સિટી વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૨ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. મૃતકોના મૃતદેહ લોક નારાયણ જયપ્રકાશ હોસ્પિટલ (LNJP) ખાતે લઈ જવામાં આવ્યા છે.
વિસ્ફોટની ગંભીરતા અને સ્થિતિ
ફાયર બ્રિગેડને સાંજે ૬:૫૫ કલાકે આ ધમાકાની સૂચના મળી હતી. વિસ્ફોટ એટલો ભીષણ હતો કે:

* ૫-૬ વાહનોના ફૂરચા ઊડી ગયા હતા અને ૭-૮ જેટલી અન્ય ગાડીઓ પણ તેની લપેટમાં આવી ગઈ હતી.
* આસપાસની સ્ટ્રીટ લાઇટો પણ તૂટી ગઈ હતી.
* ધમાકા બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કર્યા હતા.
* ધમાકા સમયે ત્યાં ભારે ભીડ હતી, જેના કારણે જાનહાનિ વધી છે. ઘાયલોને LNJP સહિત નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.
સુરક્ષા એજન્સીઓ સક્રિય
આ વિસ્ફોટે સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. દિલ્હી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે.
* નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ની ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે.
* ફોરેન્સિક અને ટેકનિકલ નિષ્ણાતો પણ વિસ્ફોટનું સ્વરૂપ જાણવા માટે સ્થળ પર પહોંચી રહ્યા છે.
* હાલમાં આ વિસ્ફોટ CNGથી થયો છે કે અન્ય કોઈ કારણોસર, તે અંગે ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તે માત્ર એક સ્થાનિક ધમાકો નથી, પરંતુ મોટી સાજિશ હોવાનું પ્રતીત થાય છે.

ધમાકા બાદ સમગ્ર દિલ્હીમાં હાઈ અલર્ટ જાહેર કરી દેવાયું છે. નજીકના ચાંદની ચોક માર્કેટને બંધ કરી દેવાયું છે અને લાલ કિલ્લાની આસપાસના સમગ્ર વિસ્તાર અને રસ્તાઓને સીલ કરી દેવાયા છે. સુરક્ષાના પગલાંરૂપે મુંબઈમાં પણ સુરક્ષા અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે આજે જ દિલ્હી નજીક ફરીદાબાદમાંથી ૨૯૦૦ કિલો એમોનિયમ નાઈટ્રેટ મળી આવ્યું હતું, જોકે હાલમાં બંને ઘટનાઓને જોડવી ઉતાવળભરી હશે

Related posts

મહિલાઓની ચેઇન સ્નેચિંગ અને કાનની સોનાની બુટ્ટી ખેંચી ચોરી કરતી ગેંગની ઇસનપુર પોલીસે કરી ધરપકડ

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર પથ્થરો અને ઇંડા વડે ઘાતક હુમલો

Ahmedabad Samay

વડાપ્રધાનની આ રાષ્ટ્રહિતની અપીલને હવે બોલિવૂડ તરફથી પણ જોરદાર સમર્થન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો