July 4, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

અમદાવાદના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ સુધીના માર્ગ પર ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. પૂરઝડપે આવતી એક કારને પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર રોકવાની જગ્યાએ પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી અને પછી કાર લઈ ફરાર થઈ ગયો હતો. કારની ટક્કરે પોલીસકર્મીને ઇજા થઈ હતી. જ્યારે પોલીસની ટીમે કારચાલકનો પીછો કરી તેની ધરપકડ કરી હતી.

માહિતી મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે શહેરના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ જતા રોડ પર કોઈ ફિલ્મનું શુટિંગ થતું હોય તેવા દૃશ્યો લોકોને જોવા મળ્યા હતા. પોલીસ પોલીસ કોન્સ્બેટલ બલભદ્રસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કારચાલક સહિત 6 લોકો સામે હત્યાની કોશિશ તેમ જ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એ.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તેમ જ પોલીસ કર્મચારી સિરાજભાઇ સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન રાજપથ ક્લબની પાછળના રોડ પરથી એક કાર પૂરઝડપે આવી રહી હતી. આથી પોલીસ જવાને કારને રોકવા ઇશારો કર્યો હતો.

પોલીસની ટીમે કારનો પીછો કર્યો

પોલીસનો ઇશારો જોઈ કારચાલકે કાર રોકવાની જગ્યાએ વધુ સ્પીડમાં દોડાવી હતી અને પોલીસ કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસની ટીમે કારનો પીછો કર્યો હતો અને કારમાં બેઠેલા એક શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, કારમાં અવિનાશ રાજપૂત, ધ્રૂવિન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અન્ય એક અજાણ્યો શખ્સ બેઠા હતા. માહિતી છે કે, પકડાયેલા આરોપીનું નામ અનિવાશ છે અને પૂછપરછમાં તેણે કબુલ્યું છે કે કાર ક્રૃણાલ ચલાવતો હતો. જ્યારે નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી છે. તપાસમાં સામે આવ્યું કે, અવિનાશે ચાલુ કારમાંથી ઉતરી જવાનું કહેતા કૃણાલે તેને ઉતારી દીધો હતો અને પછી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

“સફરે વિરાસત”  દ્વારા  એ.એસ.ઇ. કેમ્પસ ખાતે વારસાગત મૂલ્યો અને ઇતિહાસ અંગે સફળ વર્કશોપ અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું

Ahmedabad Samay

ડ્રીમ વર્લ્ડ ડાન્સ એકેડમી દ્વારા અમદાવાદમાં યોજાયો ભવ્ય કાર્યક્રમ નિરવાણા અહસાસો કી બૌછાર

Ahmedabad Samay

ભૂરાભાઇ પરિહાર પર અંગત અદાવતમાં અસામાજિક તત્વો એ જાનથી મારવાનો પ્રયાસ કર્યો

Ahmedabad Samay

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

Ahmedabad Samay

સુરત – તાપી વિસ્તારના નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, હથનુર ડેમનું પાણી ફરી વળવાની શક્યતા

Ahmedabad Samay

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે, 1 લાખ લોકોને મળશે નર્મદાના પાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો