February 5, 2026
ગુજરાત

વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

વડોદરાની જાણીતી એમએસ યુનિનવર્સિટીમાં આજે ઠેર ઠેર વાઇસ ચાન્સેલર (વીસી) ડો. વિજય કુમાર શ્રીવાસ્તવ લાપતા હોવાના બેનર લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર સાથે પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા સહિતની વિવિધ માગ પણ કરવામાં આવી છે. જો કે, ‘વીસી લાપતા’ના પોસ્ટર લાગ્યા બાદ યુનિવર્સિટીમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે.

મીડિયા રિપોર્ટ મુજબ, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી વીસી સમક્ષ સિન્ડિકેટના સભ્યો અને વિદ્યાર્થીઓ દ્વારા પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવા માગ કરાઈ રહી છે. આ સાથે કોન્વોકેશનના ફોલ્ડર અને સ્કાર્ફ આપવા અને વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની માગ પણ સિન્ડિકેટના સભ્યો દ્વારા વારંવાર વીસી માગ સમક્ષ કરવામાં આવી રહી છે, તેમ છતાં વીસી દ્વારા કોઈ પ્રતિસાદ ન અપાતા હવે વિદ્યાર્થીઓ અને સિન્ડિકેટના સભ્યોમાં બારે રોષ જોવા મળી રહ્યો છે. ગુરુવારે એમ.એસ. યુનિવર્સિટીમાં ઠેર ઠેર ‘વીસી લાપતા’ના બેનર લગાડી વિરોધ દાખવવામાં આવ્યો છે.

‘વીસી નિર્ણય ન લઈ શકતા હોય તો નૈતિકતા પ્રમાણે રાજીનામું આપે’

મીડિયા અહેવાલ પ્રમાણે, વિદ્યાર્થીઓનું કહેવું છે કે વીસી દ્વારા ન તો પદવીદાન સમારોહની તારીખ જાહેર કરવામાં આવી છે અને ન તો વિદ્યાર્થીઓને હજી સુધી ફોલ્ડર, સ્કાર્ફ કે માર્કશીટ આપવામાં આવી છે. આથી વીસીએ વિદ્યાર્થીઓની માગ અંગે જલ્દી નિર્ણય લેવો જોઈએ. જો તેઓ નિર્ણય ન લઈ શકતા હોય તો તેમણે નૈતિકતા પ્રમાણે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ. યુનિવર્સિટીમાં લાગેલા પોસ્ટરથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. જ્યારે સિન્ડિકેટની બેઠકમાં પણ  હોબાળો થવાની આશંકા છે.

Related posts

અમદાવાદ એર ઇન્ડિયા AI171 પ્લેન દુર્ઘટનામાં Ex. એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ લિમિટેડ ના કર્મચારી પણ થયા ઘાયલ, રિટાયર્ડ થયા બાદ પણ કંપનીએ સાથન છોડ્યો 

Ahmedabad Samay

સોમવાર બાદ ચોમાસાની આગાહી

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

નિવૃત અધિકારીઓને ચીફ ઓફિસરની નોકરી આપવાની જાહેરાતને બદલે ગુજરાતના ઉચ્‍ચ શિક્ષિત બેરોજગાર યુવાનોને નોકરીમાં તક આપવા કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ માંગણી કરી

Ahmedabad Samay

ખંભાત નગરપાલિકામાં ભાજપમાં મોટું ભંગાણ પડ્યું,સત્તાપક્ષના 22 સભ્યમાંથી ભાજપના ઉપપ્રમુખ સહિત 8 કાઉન્સિલરે રાજીનામાં આપતાં ખળભળાટ. 

Ahmedabad Samay

ભાજપે સીપી રાધાકૃષ્ણન એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો