March 24, 2026
ગુજરાત

ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી : રાજેન્દ્ર ત્રિવેદી

શહેરમાં ઇંડા અને નોનવેજની લારીઓના જાહેરમાં ઉભા રહેવા પર પ્રતિબંધ લાગ્યા બાદ હવે ગુજરાતના કોર્પોરેશનમાં જાણે ફેશન ચાલી રહી હોય તેમ એક પછી એક પાલિકાઓ અને કોર્પોરેશન દ્વારા પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે.

આ અંગે સ્થાયી સમિતિ અધ્યક્ષની સુચના બાદ રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇને અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે છે. તેના પર કોઇ પણ વ્યક્તિએ હક્ક જમાવવો ન જોઇએ. આ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ જ છે. જે જગ્યા પર વેજ કે નોનવેજ લારીઓ ઉભી રહે છે તે સરકાર કે સ્થાનિક તંત્ર ઇચ્છે તો હટાવી પણ શકે છે.

આ અગાઉ કચ્છના એક કાર્યક્રમ દરમિયાન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્યમાં રસ્તા પર ઇંડા અને નોનવેજની લારીઓ લેન્ડગ્રેબિંગ સમાન જ છે.

વડોદરા અને રાજકોટ પાલિકાઓ દ્વારા જે પગલા લેવામાં આવ્યા તે તેની પ્રશંસા પણ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીને આ અંગે પુછાતા તેમણે કહ્યું કે, હું મારા મંતવ્ય પર અડગ છું. આ પ્રકારનાં દબાણ હટાવવા જ જોઇએ. નોનવેજ અને વેજની લારીથી થતા ધુમાડાથી લોકોને નુકસાન થાય છે. તેને હટાવવી જ જોઇએ.

રાજકોટ કોર્પોરેશનના નિર્ણય બાદ તબક્કાવાર રીતે અલગ અલગ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની કાર્યવાહી ચલાવાઇ રહી છે. રાજકોટ બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા પણ આ પ્રકારની કાર્યવાહી ચાલી રહી છે. હાલ તો આ નિર્ણય અંગે કેટલાક વિવાદો પણ થઇ રહ્યા છે. જો કે હાલ તો સમગ્ર મુદ્દે સરકાર મક્કમ હોય તેવું લાગી રહ્યું છે. હવે જોવું રહ્યું કે આ નિર્ણય જંગલની આગની જેમ  એક પછી એક પાલિકાઓમાં ફેલાઇ રહી છે. મંત્રીઓ સહિત સમગ્ર સરકાર પણ આ નિર્ણયનું સમર્થન કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

Related posts

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સુરતઃ શહેરના જ્વેલર્સે અયોધ્યાની જેમ ચાંદીથી રામ મંદિરની આબેહૂબ અલગ-અલગ 4 પ્રતિકૃતિ બનાવી, જાણો કિંમત

Ahmedabad Samay

દાનપાત્ર સંસ્થા દ્વારા અમદાવાદ ખાતે ફૂટપાથ રહેતા નિરાધાર પરિવારોને કપડાં આપીને મદદ કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસ – ફાઉન્ડર શ્રી શાહનવાઝ સર તરફથી ઘોડે સવારી ટ્રેનિંગ આપવામાં આવી

Ahmedabad Samay

વડોદરામાં રુવાળા ઉભા કરિદે તેવી બની ધટના,હરણી તળાવમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ ડૂબ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો