May 15, 2026
ગુજરાતઅપરાધ

અમદાવાદ: ધુળેટીની રાતે સર્જાયા ફિલ્મી દ્રશ્યો! પૂરઝડપે આવતી કારે પોલીસકર્મીને મારી ટક્કર, પછી પોલીસે પીછો કર્યો અને…

અમદાવાદના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ સુધીના માર્ગ પર ગઈકાલે રાતે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. પૂરઝડપે આવતી એક કારને પોલીસે રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ કારચાલકે કાર રોકવાની જગ્યાએ પોલીસકર્મી પર ચઢાવી દીધી હતી અને પછી કાર લઈ ફરાર થઈ ગયો હતો. કારની ટક્કરે પોલીસકર્મીને ઇજા થઈ હતી. જ્યારે પોલીસની ટીમે કારચાલકનો પીછો કરી તેની ધરપકડ કરી હતી.

માહિતી મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે શહેરના રાજપથ ક્લબ રોડથી એસ.પી. રિંગરોડ જતા રોડ પર કોઈ ફિલ્મનું શુટિંગ થતું હોય તેવા દૃશ્યો લોકોને જોવા મળ્યા હતા. પોલીસ પોલીસ કોન્સ્બેટલ બલભદ્રસિંહે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં કારચાલક સહિત 6 લોકો સામે હત્યાની કોશિશ તેમ જ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બુધવારે ધુળેડીની મોડી રાતે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ એમ.એ.ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ તેમ જ પોલીસ કર્મચારી સિરાજભાઇ સહિતની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન રાજપથ ક્લબની પાછળના રોડ પરથી એક કાર પૂરઝડપે આવી રહી હતી. આથી પોલીસ જવાને કારને રોકવા ઇશારો કર્યો હતો.

પોલીસની ટીમે કારનો પીછો કર્યો

પોલીસનો ઇશારો જોઈ કારચાલકે કાર રોકવાની જગ્યાએ વધુ સ્પીડમાં દોડાવી હતી અને પોલીસ કર્મચારીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસની ટીમે કારનો પીછો કર્યો હતો અને કારમાં બેઠેલા એક શખ્સની ધરપકડ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, કારમાં અવિનાશ રાજપૂત, ધ્રૂવિન જોશી, ક્રૃણાલ, સાગર જોશી, યશ ચાવજા અને અન્ય એક અજાણ્યો શખ્સ બેઠા હતા. માહિતી છે કે, પકડાયેલા આરોપીનું નામ અનિવાશ છે અને પૂછપરછમાં તેણે કબુલ્યું છે કે કાર ક્રૃણાલ ચલાવતો હતો. જ્યારે નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે બે અલગ-અલગ ટીમો બનાવી છે. તપાસમાં સામે આવ્યું કે, અવિનાશે ચાલુ કારમાંથી ઉતરી જવાનું કહેતા કૃણાલે તેને ઉતારી દીધો હતો અને પછી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 86 ફ્લાઇટ રદ થઈ

Ahmedabad Samay

ભાજપ અને કોંગ્રેસ ભાડા મુદ્દે લડતી રહી અને NCP ના મહામંત્રી નિકુલસિંહ તોમર એ પરપ્રાંતીઓ માટે નિઃશુલ્ક બસની સુવિધા કરી પ્રવાસીઓ ને રવાન કર્યા

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા માત્ર ૪૮ કલાકમાં જ ૧૦૦ બેડની હોસ્પિટલ તૈયાર કરી

Ahmedabad Samay

ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની તથા ઘરમાં ૨ ફુટની મૂર્તિઓની સ્થાપના કરી શકાશે. ગણેશ મહોત્સવની મહત્વની બાબતો

Ahmedabad Samay

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો