May 12, 2026
ગુજરાત

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ બની ચૂક્યા છે

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે. ત્યારે રખડતા ઢોર રસ્તે બાખડી પડે અને વાહનચાલકો અથવા રમતા બાળકોને અડફેટે લેતો મોત થતા હોવાના કિસ્સાઓ પણ સુરેન્દ્રનગર જિલ્લામા સામે આવ્યા છે. ખાસ કરી એક વર્ષના સમય ગાળામાં સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા ઢોરોએ હડફેટે લેતા ચાર લોકોના મોત નિપજ્યા છે.

…ત્યારે તાજેતરમાં જ તે લીંબડીના નાના ટીમલા ગામે રખડતા ઢોરે સાત વર્ષના બાળકને હડફેટે લેતા તેનું પણ મોત નિપજ્યું હતુ. ત્યારે જિલ્લામાં સતત રખડતા ઢોરોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ જ મામલે સુરેન્દ્રનગર, દુધરેજ અને વઢવાણ સંયુક્ત નગરપાલિકા એક્શન મોડમાં આવી છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે રખડતા ઢોરો છે, તેમને પાંજરે પુરવા માટે આજથી પાલિકા તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રખડતા ઢોરોને પાંજરે પૂરી અને તેમને યોગ્ય સ્થાને મૂકી અને તેમની તમામ પ્રકારની રહેવાની અને જમવાની વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ આજથી પાલિકા તંત્રએ હાથ ધર્યો છે. આ મામલે પાલિકાના ચીફ ઓફિસર સહિતનો સ્ટાફ કામે પણ લાગ્યો છે. અને આગામી દિવસોમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોના પગલે કોઈ અણબનાવ ન બને તેવા પ્રયાસો પણ હાથ ધર્યા હતા.

Related posts

અસારવા વોર્ડમાં કાઉન્સિલર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોનું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

હિંમતનગર બાદ ખંભાતમા પણ રેલી ઉપર થયો પથ્થર મારો

Ahmedabad Samay

AMC પૂર્વ વિસ્તારમાં બીઆરટીએસ રુટ પરના દબાણો દૂર કરી રસ્તો કર્યો ખુલ્લો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો