May 12, 2026
ગુજરાત

સુરત – H3N2ના કેસોમાં વધારો, બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો

નવી સિવિલ હોસ્પિટલમાં એચથ્રીએનટુના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક આવતા વિવિધ રોગચાળાના કેસો વધું સામે આવી રહ્યા છે. રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપથી ફેલાતા કેસોને લઈને આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. સુરતમાં હાલ ત્રણ દર્દીઓ આઈસોલેશનમાં છે.

24 કલાકમાં કોરોનાના 4 કેસો નોંધાયા છે ત્યારે કુલ દર્દીનો આંક 13 પર પહોંચ્યો છે. આશરે એક માસના અંતરાલ  બાદ આ કેસોમાં વધારો સામે આવ્યો છે. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ઉધરસ, ગળામાં દુખાવો, ઉલ્ટી, કળતર જેવા લક્ષણો જોવા મળે છે.  H3N2 ઈન્ફલ્યુએન્ઝાથી સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો ઉપરાંત દર્દીને બે થી ત્રણ અઠવાડિયા સુધી સતત ઉધરસ રહે છે.

રાજ્યમાં દવાઓ, ટેસ્ટિંગ લેબ, ડોકટરોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની માર્ગદર્શિકા અનુસાર જરૂરી પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી.  દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝાને લઈને ડોક્ટરોએ સતર્ક રહેવા અપીલ કરી છે. ખાસ કરીને લોકોએ પણ તકેદારીના ભાગરુપે દરેક બાબતનું ધ્યાન રાખવું જોઈએ. કેમ કે, કોરોના કેસો પણ પહેલાની સરખામણીમાં વધુ સામે આવી રહ્યા છે.

Related posts

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

ગુમથયેલ છે.

Ahmedabad Samay

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

Ahmedabad Samay

શુ આપ જાણો છો ભારતીય રેલવે તમને મુસાફરી કરવાની સાથે 10 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે ?

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો