March 29, 2026
ગુજરાત

વ્યાજખોરોથી તંગ આવી નિકોલમાં યુવકે ફિનાઈલની ગોળીઓ ખાધી.

નિકોલ ખાતે રહેતા યુવાનને પૈસાની જરૂર પડતા આઠ ટકા વ્યાજે રૂ. 2.50 લાખ લીધા હતા. બંન્ને વ્યાજખોરો અવાર નવાર વ્યાજની ઉઘરાણી માટે ફોન કરી ધમકી આપતા હતા અને યુવકનું ઘર પણ લખાવી લીધુ હતુ.

જેથી તંગ આવીને યુવકે ફિનાઈલની ગોળીઓ ખાઈ લઈ આપઘાતની કોશીષ કરી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. આ અંગે નિકોલ પોલીસે બે વ્યાજખોરોના વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો હતો.

નિકોલમાં રહેતા કિશનભાઈ વાઢેરને પૈસાની જરૂર હોવાથી લાલજી ચૌહાણ અને શૈલેષ ચૌહાણ પાસેથી 8 ટકા વ્યાજે 2.50 લાખ રૂપિયા લીધા હતા. જો કે નવ મહિના સુધી વ્યાજના પૈસા ચુકવી આપ્યા હતા.

ધંધામાં મંદી આવી જતા વ્યાજ ચૂકવી શક્યા ન હોવાથી લાલજી ચૌહાણ અને શૈલેષ ચૌહાણ અવાર નવાર ફોન કરીને વ્યાજની માંગણી કરતા હતા. પૈસા આવતા જ ચૂકવી દઈશ તેવી જાણ કરી હોવા છતા અવાર નવાર હેરાન પરેશાન કરતા હતા.

વ્યાજખોરોએ વ્યાજ ન મળતા કિશનભાઈનું રૂ.15 લાખનું મકાન લખાવી લીધુ હતુ અને બે વર્ષમાં પૈસા નહીં આપે તો લખાવી લીધેલા પોતાના મકાનમાંથી જ કાઢી મુકવાની ધમકી આપી હતી. વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. તગ આવેલા કિશનભાઈએ ઘરમાં મુકેલ ફિનાઈલની સાતેક ગોળીઓ ખાઈ લીધી હતી. જેથી તેમને ઉલ્ટીઓ થતા તેમના પરિવારને આ અંગેની જાણ થઈ હોવાથી કિશનભાઈને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા.

નિકોલ પોલીસે કિશનભાઈએ લાલજી ચૌહાણ અને શૈલેષ ચૌહાણના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંન્નેના વિરુદ્ધમાં ગુજરાત નાણાધીરાણ કરનાર બાબત અધિનિયમ સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

New up 01

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટના મહિલા અધ્યક્ષ શ્રી કલ્પીશા ભોજકરના પતિ સુનિલ ભોજકરનું દુઃખદ અવસાન, સમાજમાં દુઃખની લાગણી પ્રસરી

Ahmedabad Samay

વ્યસનીઓ માટે લોકડાઉન ૩.૦ માં રાહતના સમાચાર

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને આવેદન પત્ર આપવામા આવ્યું

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

ગરમીની ઋતુ માટે થઇ જાવ તૈયાર, શનિવારથી ગરમીનો પારો વધશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો