એરપોર્ટ પોલીસે સરદારનગરના આંબાવાડીમાં રવિવારે રાત્રે રેડ કરી જુગાર રમતી ૦૯ મહીલા ગેમબલર સહીત ૧૦ લોકોની ધરપકડ કરી છે.
અમદાવાદના સરદારનગરમાં આવેલ આંબાવાડી વિસ્તારમાં રહેતી કમલાબહેન લાલચંદ મામનાણી પોતાના આર્થીક લાભ માટે બહારથી યુવતીઓ અને મહિલાઓને બોલાવી જુગરધામ ચલાવે છે. આ અંગે બાતમી મળતા એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ચૌધરી સ્ટાઅફ સાથે રવિવારે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ તપાસમાં મકાનમાં ૧૦ લોકો જુગાર રમતા પકડાયા હતા.
એરપોર્ટ પોલીસે સ્થળ પરથી કમલાબહેન મામનાણી, રીટાબહેન સામનાણી, ભાવનાબહેન આહુજા, પૂજાબહેન ડોડેજા, પુષ્પાબહેન વાઘવાણી, શાંતિબહેન મોટવાણી, રાજકુમારી બલવાણી, ગીતાબહેન રાજાણી, લીલતાબહેન હોતચંદાની અને રાજેશ ફગનાણીની વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
પોલીસે સ્થળ પરથી અંદાજીત રૂ.૧૯૯૬૦ની રોકડ અને ૦૫ મોબાઈલ ફોન રૂ ૦૬ હજારના મળી અંદાજીત રૂપિયા ૨૫૦૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર ગુન્હામાં વિચારવા જેવું એ છે કે કમલાબેન ઘણા લાંબા સમયથી આ જુગરધામ ચલાવતી હતી અને સાથે સાથે દારૂનો પણ ધંધો કરતી હતી,
આટલા લાંબા સમયથી ચાલતા આ જુગરધામ પર અને દારૂના અડ્ડા પર પોલીસની નજર કેમ ન ગઈ ?
શુ પોલીસ ને અત્યાર સુધી હપ્તો પોહચતો હતો ?
શુ પોલીસના રહેમ રાહ નીચે આ જુગરધામ ચાલતું હતું ?
શુ પોલીસ નો હપ્તો બંધ કરાતા વર્ષો જૂનો અડ્ડો અને જુગરધામ પર રેડ કરવામાં આવી?
પોલીસે આ રેડ પાડતા વખાણવા લાયક કામતો કર્યું જ છે પરંતુ , આવા અનેક સવાલો પોલીસ સમક્ષ ઉભા થાય છે.
સરદારનગર માં હજુ સુધી કોના આશીર્વાદે આવા અનેક જુગરધામ અને દેશી અને ઈંગ્લીશ દારૂના અડ્ડા ચાલે છે અને બંધ થાય છે ?

