March 24, 2026
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

ગુજરાતમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિ વગેરે સહિતના ગંભીર મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે NIAને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હવે અમદાવાદ શહેરના જગતપુર ખાતે NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. આ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ મુદ્દે NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ, ટેરર ફંડિંગ સહિતની વિવિધ બાબતોને લઈ NIA દ્વારા તપાસ કરાઈ રહી છે.

NIAના વાહનોને ટોલમુક્તિ અંગે પણ નિર્ણય!

ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ગૃહ વિભાગની મંજૂરી બાદ હવે શહેરના જગતપુરમાં NIAનું પોલીસ સ્ટેશન બનશે. આથી NIA હવે ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેશે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ NIAના વાહનોને ટોલમુક્તિ આપવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી છે. 8 જેટલા વાહનોને ટોલમુક્તી અપવા પરિપત્ર કરાયો છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં પણ NIA દ્વારા તપાસ કરવામાં આવી હતી.

Related posts

શ્રી રામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક દિવસને રામ કુટિર ફ્લેટ દ્વારા ધામ ધૂમથી ઉજવણી કરાઇ, સીતા રામ અને લક્ષ્મણજીની રંગોળી બનાવાઈ

Ahmedabad Samay

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા પ્રજાને વ્યાજખોરો માંથી મુક્તિ અપાવવા માટે લૉન મેળાનું આયોજન કરાયું

Ahmedabad Samay

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

બાપુનગરના ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા તિરંગા યાત્રા નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – જીવરાજ પાર્ક અવધ આર્કેટમાં લાગી આગ, 4 લોકોનું રેસ્ક્યુ, ધૂમાડાના ગોટેગોટા ઉડ્યા

Ahmedabad Samay

તૌકતે એ ૪૫ જેટલા લોકોનો જીવ લીધો, હજારો વૃક્ષો ધરાશય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો