February 10, 2025
ગુજરાત

અમદાવાદ: રાજ્યમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિઓની તપાસ કરતી NIAનું પોલીસ સ્ટેશન અહીં સ્થપાશે, ગૃહ વિભાગનો મહત્ત્વનો નિર્ણય

ગુજરાતમાં ટેરર ફંડિંગ, દેશ વિરોધી પ્રવૃત્તિ વગેરે સહિતના ગંભીર મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે હવે NIAને લઈ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, હવે અમદાવાદ શહેરના જગતપુર ખાતે NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. આ માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગૃહ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાયું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં વિવિધ મુદ્દે NIA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશ વિરોધી પ્રવૃત્તિ, ટેરર ફંડિંગ સહિતની વિવિધ બાબતોને લઈ NIA દ્વારા તપાસ કરાઈ રહી છે.

NIAના વાહનોને ટોલમુક્તિ અંગે પણ નિર્ણય!

ત્યારે હવે ગુજરાતના અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનની સ્થાપના કરવામાં આવશે. ગૃહ વિભાગની મંજૂરી બાદ હવે શહેરના જગતપુરમાં NIAનું પોલીસ સ્ટેશન બનશે. આથી NIA હવે ગુજરાતમાં જ ફરિયાદ દાખલ કરશે. અમદાવાદમાં NIAના પોલીસ સ્ટેશનનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજ્યમાં રહેશે. બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ NIAના વાહનોને ટોલમુક્તિ આપવાનો નિર્ણય કરાયો હોવાની માહિતી છે. 8 જેટલા વાહનોને ટોલમુક્તી અપવા પરિપત્ર કરાયો છે. જણાવી દઈએ કે ભૂતકાળમાં અક્ષરધામ પર થયેલા આતંકી હુમલામાં પણ NIA દ્વારા તપાસ કરવામાં આવી હતી.

Related posts

ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ૧૪૦૦૦ ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવ્યો

Ahmedabad Samay

ખાનગી ઓફિસો, સંસ્થાઓ, કોમર્શિયલ એકમોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી રાખવાની રહેશે

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

અમદાવાદ – એક જ એસજી હાઈવે પર અલગ અલગ સ્પીડના બોર્ડ લગાવ્યા, વાહન ચાલકો અસમંજસમાં, લોકો જોખમમાં

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

ગુજરાતનું એક ડગલું અનલોક તરફ, અનલોક માટેની ગાઇડલાઈન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો