February 6, 2026
ગુજરાત

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

થોડા દિવસ પહેલા બાળકો ઘરેથી રમવાનું કહીને બહાર નિકળતા ઘરે ન આવતા પરીવાર ચિંતામાં આવી ગયો ગયો હતો. આ ત્રણેય બાળકો કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા હતા. આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલ્વે સ્ટેશન પર જ રહ્યા હતા. બાળકો ગુમ થતા આ મામલે પોલીસ મથકે પણ ફરીયાદ નોંધાઈ હતી.

ગયા સોમવારે આ બાળકો ઘરેથી રમવા જઈએ છીએ તેવું કહીને ઘર બહાર નિકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે ન આવતા સગાસંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી. આખરે આ બાળકો આજે મળી આવતા પરીવારના સભ્યોમાં જીવમાં જીવ આવ્યો છે.

ત્રણ બાળકો ગુમ થતા પરીવારમાં ભારે ચિંતા હતી અને અનેક શંકા કુશંકાઓ હતી ત્યારે આખરે આ બાળકો મળી આવ્યા છે. બાળકોને સીઆરપીએફના જવાનોએ જોયા હતા. તેમના ધ્યાનમાં આવતા આ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકો બે દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પર રોકાયા હતા. જેમાં રેલ્વે પોલીસના કર્મચારીઓ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકો ગુમ થવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી પરીવારજનોને એ ચિંતા હતી કે કોઈ બાળકને ફોસલાવીને લઈ ન ગયું હોય. આ સાથે અન્ય પ્રકારની શંકા જતા તેમને આખરે આ મામલે પોલીસમાં પણ ફરીયાદ કરી હતી. જો કે, કાલુપુરથી આખરે બાળકો મળી આવ્યા છે.

Related posts

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ શહેરના જાણીતા બિલ્‍ડર ગ્રુપ ઉપર આવકવેરા ખાતાના દરોડા પાડવામાં આવ્‍યા.

Ahmedabad Samay

આજે અમદાવાદ શહેર થયું 612 વર્ષનું, શું તમે દેશના પહેલા હેરિટેજ સિટી વિશે આ વાતો જાણો છો?

Ahmedabad Samay

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

Ahmedabad Samay

લોકડાઉન હીરો: જન જાગૃતિ ફાઉન્ડેશન રાષ્ટ્રીય પ્રમુખ શ્રી એસ.પી.સિંહ ભદોરીયા

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ટેબલી લંબેહનુમાન દાદાને ૧૦૦ વર્ષ પૂર્ણ,મધુસુદનલાલજી મહારાજના વ્‍યાસાસને હનુમંતકથા યોજાશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહેશે ઉપસ્થિત ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો