June 27, 2026
ગુજરાત

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

થોડા દિવસ પહેલા બાળકો ઘરેથી રમવાનું કહીને બહાર નિકળતા ઘરે ન આવતા પરીવાર ચિંતામાં આવી ગયો ગયો હતો. આ ત્રણેય બાળકો કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા હતા. આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલ્વે સ્ટેશન પર જ રહ્યા હતા. બાળકો ગુમ થતા આ મામલે પોલીસ મથકે પણ ફરીયાદ નોંધાઈ હતી.

ગયા સોમવારે આ બાળકો ઘરેથી રમવા જઈએ છીએ તેવું કહીને ઘર બહાર નિકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે ન આવતા સગાસંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી. આખરે આ બાળકો આજે મળી આવતા પરીવારના સભ્યોમાં જીવમાં જીવ આવ્યો છે.

ત્રણ બાળકો ગુમ થતા પરીવારમાં ભારે ચિંતા હતી અને અનેક શંકા કુશંકાઓ હતી ત્યારે આખરે આ બાળકો મળી આવ્યા છે. બાળકોને સીઆરપીએફના જવાનોએ જોયા હતા. તેમના ધ્યાનમાં આવતા આ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકો બે દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પર રોકાયા હતા. જેમાં રેલ્વે પોલીસના કર્મચારીઓ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકો ગુમ થવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી પરીવારજનોને એ ચિંતા હતી કે કોઈ બાળકને ફોસલાવીને લઈ ન ગયું હોય. આ સાથે અન્ય પ્રકારની શંકા જતા તેમને આખરે આ મામલે પોલીસમાં પણ ફરીયાદ કરી હતી. જો કે, કાલુપુરથી આખરે બાળકો મળી આવ્યા છે.

Related posts

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

અંબાજી ફોરેસ્ટ ખાતે જમીન ખાલી કરાવવા ગયેલ પોલીસ અને અન્ય અધિકારીઓ પર તીર-કામઠા દ્વારા હુમલો કરાયો

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો