June 27, 2026
ગુજરાત

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

થોડા દિવસ પહેલા બાળકો ઘરેથી રમવાનું કહીને બહાર નિકળતા ઘરે ન આવતા પરીવાર ચિંતામાં આવી ગયો ગયો હતો. આ ત્રણેય બાળકો કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા હતા. આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલ્વે સ્ટેશન પર જ રહ્યા હતા. બાળકો ગુમ થતા આ મામલે પોલીસ મથકે પણ ફરીયાદ નોંધાઈ હતી.

ગયા સોમવારે આ બાળકો ઘરેથી રમવા જઈએ છીએ તેવું કહીને ઘર બહાર નિકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે ન આવતા સગાસંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી. આખરે આ બાળકો આજે મળી આવતા પરીવારના સભ્યોમાં જીવમાં જીવ આવ્યો છે.

ત્રણ બાળકો ગુમ થતા પરીવારમાં ભારે ચિંતા હતી અને અનેક શંકા કુશંકાઓ હતી ત્યારે આખરે આ બાળકો મળી આવ્યા છે. બાળકોને સીઆરપીએફના જવાનોએ જોયા હતા. તેમના ધ્યાનમાં આવતા આ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકો બે દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પર રોકાયા હતા. જેમાં રેલ્વે પોલીસના કર્મચારીઓ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકો ગુમ થવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી પરીવારજનોને એ ચિંતા હતી કે કોઈ બાળકને ફોસલાવીને લઈ ન ગયું હોય. આ સાથે અન્ય પ્રકારની શંકા જતા તેમને આખરે આ મામલે પોલીસમાં પણ ફરીયાદ કરી હતી. જો કે, કાલુપુરથી આખરે બાળકો મળી આવ્યા છે.

Related posts

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ

Ahmedabad Samay

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

Ahmedabad Samay

જિલ્લા કક્ષા ની અંડર ૧૯ કબ્બડી માં વિજેતા અને વોલીવોલ સ્પર્ધા માં રનર અપ થઈ કઠવાડા માં આવેલી શ્રીનારાયણા હાયર સેકેંડરી સ્કૂલ

Ahmedabad Samay

ધૈર્યરાજસિંહને આજે 16 કરોડ રૂપિયાની મદદ પૂરી થઈ, ગુજરાતના સેવાભાવીઓ ની મેહનત રંગલાવી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો