March 21, 2025
ગુજરાત

અમદાવાદમાં ગુમ થયેલા 3 બાળકો આખરે કાલુપુરથી મળી આવ્યા, જાણો શું હતો મામલો

થોડા દિવસ પહેલા બાળકો ઘરેથી રમવાનું કહીને બહાર નિકળતા ઘરે ન આવતા પરીવાર ચિંતામાં આવી ગયો ગયો હતો. આ ત્રણેય બાળકો કાલુપુર રેલ્વે સ્ટેશનથી મળી આવ્યા હતા. આ બાળકો બે દિવસ સુધી કાલુપુર રેલ્વે સ્ટેશન પર જ રહ્યા હતા. બાળકો ગુમ થતા આ મામલે પોલીસ મથકે પણ ફરીયાદ નોંધાઈ હતી.

ગયા સોમવારે આ બાળકો ઘરેથી રમવા જઈએ છીએ તેવું કહીને ઘર બહાર નિકળ્યા હતા. જો કે સાંજ સુધી ઘરે ન આવતા સગાસંબંધીઓએ શોધખોળ શરૂ કરી હતી. આખરે આ બાળકો આજે મળી આવતા પરીવારના સભ્યોમાં જીવમાં જીવ આવ્યો છે.

ત્રણ બાળકો ગુમ થતા પરીવારમાં ભારે ચિંતા હતી અને અનેક શંકા કુશંકાઓ હતી ત્યારે આખરે આ બાળકો મળી આવ્યા છે. બાળકોને સીઆરપીએફના જવાનોએ જોયા હતા. તેમના ધ્યાનમાં આવતા આ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર આ બાળકો બે દિવસ કાલુપુર રેલવે સ્ટેશન પર રોકાયા હતા. જેમાં રેલ્વે પોલીસના કર્મચારીઓ બાળકોને રખિયાલ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા. બાળકો ગુમ થવાની ઘટનાએ ચર્ચા જગાવી હતી પરીવારજનોને એ ચિંતા હતી કે કોઈ બાળકને ફોસલાવીને લઈ ન ગયું હોય. આ સાથે અન્ય પ્રકારની શંકા જતા તેમને આખરે આ મામલે પોલીસમાં પણ ફરીયાદ કરી હતી. જો કે, કાલુપુરથી આખરે બાળકો મળી આવ્યા છે.

Related posts

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

અમદાવાદ – સિવિલ હોસ્પિટલમાં આંખ આવવાના કેસો વધ્યા, એક જ સપ્તાહમાં 2300થી વધુ કેસો

Ahmedabad Samay

૧૭મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્‍કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત

Ahmedabad Samay

પીયૂસી ના નવા ભાવ જાહેર, ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

 કેન્દ્ર સરકારે મંગળવારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે પ્રીમિયમમાં વધારો કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો