નવા નાણાંકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૧થી તમારી ગ્રેજયુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.
કર્મચારીઓ સતત ૫ કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.
૦૧ એપ્રિલ થી ક્યાં ક્યાં ફેરફાર આવી શકે છે.
- ભથ્થા કુલ પગારના વધુમાં વધુ ૫૦ ટકા હશે
- મૂળ પગાર વધવાની સાથે જ તમારો PF પણ વધશે. ( ટેક હોમ અથવા કેશ ઓન હેન્ડ સેલેરી ઘટશે.)
- ગ્રેજયુઇટી અને પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધવાથી નિવૃતિ બાદ મળનારી રકમમાં વધારો થશે.
- કામના કલાકો વધારીને ૧૨ કલાક કરવાનો પ્રસ્તાવ છે.
- કામના દિવસો ઘટાડીને ૪ દિવસ અને ૩ દિવસ રજૂનો પ્રસ્તાવ છે.
- કર્મચારીને દર ૫ કલાક બાદ અડધા કલાકનો આરામ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ.
