June 22, 2026
બિઝનેસ

ITR:આવકવેરા વિભાગની નોટિસનો જવાબ નહીં આપો તો વધશે મુશ્કેલી, આવકવેરા ભરનારાઓ માટે માર્ગદર્શિકા જારી

આવકવેરા વિભાગે ‘સ્ક્રુટિની’ માટે લેવાના કેસ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ ન આપનારા આવા કરદાતાઓના કેસની ફરજિયાત પણે તપાસ કરવામાં આવશે. તે જ સમયે, આવકવેરા વિભાગ એવા કેસોની પણ તપાસ કરશે, જ્યાં કોઈપણ કાયદા અમલીકરણ એજન્સી અથવા નિયમનકારી સત્તા દ્વારા કરચોરી સંબંધિત ચોક્કસ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હોય.

નોંધપાત્ર વાત એ છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નિર્દેશો પર, આવકવેરા વિભાગે આ મહિનાની 16 તારીખથી દેશભરમાં કરચોરી, GSTની ચોરી, નકલી GST નોંધણી જેવા મામલાઓને રોકવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી હતી. CBDTએ આવકવેરા ભરનારાઓ એવા લોકોને નોટિસ મોકલી હતી, જેમના દસ્તાવેજો ડ્રાઇવ દરમિયાન શંકાસ્પદ જણાયા હતા. તે જ સમયે, વ્યક્તિગત કરદાતાઓને પણ નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ જે લોકોએ અત્યાર સુધી જવાબ આપ્યો નથી, તેમના કેસોની હવે ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે.

આ છે નવી માર્ગદર્શિકા 

નવી માર્ગદર્શિકા મુજબ, કર અધિકારીઓએ આવકવેરા કાયદાની કલમ 143(2) હેઠળ કરદાતાઓને 30 જૂન સુધીમાં આવકમાં વિસંગતતા અંગે નોટિસ મોકલવી પડશે. આ પછી, આવકવેરાદાતાઓએ આ સંબંધમાં સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નવી માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે જ્યાં કાયદાની કલમ 142(1) હેઠળ નોટિસના જવાબમાં કોઈ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું નથી, તો આવા કેસને નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર (NAFAC)ને મોકલવામાં આવશે, જે આગળ પગલાં લેશે.

તમને જણાવી દઈએ કે, આવકવેરા અધિનિયમની કલમ 142(1) આવકવેરા અધિકારીઓને નોટિસ જારી કરવાની અને રિટર્ન ફાઈલ કરવાની સ્થિતિમાં સ્પષ્ટતા અથવા માહિતી મેળવવાની સત્તા આપે છે. એવા કિસ્સામાં જ્યાં રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી, તેમને નિયત રીતે જરૂરી માહિતી આપવાનું કહેવામાં આવે છે. આવકવેરા વિભાગ એવા કેસોની સંકલિત યાદી બહાર પાડે છે, જેમાં કરદાતાઓ સક્ષમ અધિકારી દ્વારા છૂટ રદ કરવા અથવા પાછી ખેંચી લેવા છતાં કરતાદાઓ મુક્તિ અથવા કપાતનો દાવો કરે છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટની કલમ 143(2) હેઠળ નોટિસ એનએએફએસી દ્વારા આવકવેરા ભરનારાઓને આપવામાં આવશે.

Related posts

૨,૦૦૦ ની SIP તમને કેટલા સમય માટે કરોડપતિ બનાવી શકે છે.

Ahmedabad Samay

દેશની ત્રણ બેંકો FD પર આપી રહી છે મજબૂત વ્યાજ, જ્યાં તમને ઇન્વેસ્ટ પર મળશે બમ્પર રિટર્ન

Ahmedabad Samay

શેરબજારમાં મોટો ઘટાડો, સેન્સેક્સ 66 હજારની નીચે સરક્યો, નિફ્ટી પણ 159 પોઈન્ટ તૂટ્યો

Ahmedabad Samay

બારકોડ ની દુનિયામાં ઉંચી ઉડાન ભરતી કંપની એટલે “ એક્યુરેટ બારકોડ સિસ્ટમ્સ”

Ahmedabad Samay

શેરબજારમાં આવી રોનક, સેન્સેક્સ અને નિફ્ટીએ ઉછાળા સાથે કરી કારોબારની શરૂઆત

Ahmedabad Samay

Business: જો તમે આ વર્ષે ટેક્સ બચાવી શકતા નથી, તો તરત જ શરૂ કરો આ કામ! આવતા વર્ષે થશે જોરદાર બચત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો