August 7, 2026
બિઝનેસ

ITR:આવકવેરા વિભાગની નોટિસનો જવાબ નહીં આપો તો વધશે મુશ્કેલી, આવકવેરા ભરનારાઓ માટે માર્ગદર્શિકા જારી

આવકવેરા વિભાગે ‘સ્ક્રુટિની’ માટે લેવાના કેસ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ ન આપનારા આવા કરદાતાઓના કેસની ફરજિયાત પણે તપાસ કરવામાં આવશે. તે જ સમયે, આવકવેરા વિભાગ એવા કેસોની પણ તપાસ કરશે, જ્યાં કોઈપણ કાયદા અમલીકરણ એજન્સી અથવા નિયમનકારી સત્તા દ્વારા કરચોરી સંબંધિત ચોક્કસ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી હોય.

નોંધપાત્ર વાત એ છે કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના નિર્દેશો પર, આવકવેરા વિભાગે આ મહિનાની 16 તારીખથી દેશભરમાં કરચોરી, GSTની ચોરી, નકલી GST નોંધણી જેવા મામલાઓને રોકવા માટે એક વ્યાપક ઝુંબેશ શરૂ કરી હતી. CBDTએ આવકવેરા ભરનારાઓ એવા લોકોને નોટિસ મોકલી હતી, જેમના દસ્તાવેજો ડ્રાઇવ દરમિયાન શંકાસ્પદ જણાયા હતા. તે જ સમયે, વ્યક્તિગત કરદાતાઓને પણ નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ જે લોકોએ અત્યાર સુધી જવાબ આપ્યો નથી, તેમના કેસોની હવે ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે.

આ છે નવી માર્ગદર્શિકા 

નવી માર્ગદર્શિકા મુજબ, કર અધિકારીઓએ આવકવેરા કાયદાની કલમ 143(2) હેઠળ કરદાતાઓને 30 જૂન સુધીમાં આવકમાં વિસંગતતા અંગે નોટિસ મોકલવી પડશે. આ પછી, આવકવેરાદાતાઓએ આ સંબંધમાં સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. નવી માર્ગદર્શિકા સ્પષ્ટપણે જણાવે છે કે જ્યાં કાયદાની કલમ 142(1) હેઠળ નોટિસના જવાબમાં કોઈ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું નથી, તો આવા કેસને નેશનલ ફેસલેસ એસેસમેન્ટ સેન્ટર (NAFAC)ને મોકલવામાં આવશે, જે આગળ પગલાં લેશે.

તમને જણાવી દઈએ કે, આવકવેરા અધિનિયમની કલમ 142(1) આવકવેરા અધિકારીઓને નોટિસ જારી કરવાની અને રિટર્ન ફાઈલ કરવાની સ્થિતિમાં સ્પષ્ટતા અથવા માહિતી મેળવવાની સત્તા આપે છે. એવા કિસ્સામાં જ્યાં રિટર્ન ફાઈલ કરવામાં આવ્યું નથી, તેમને નિયત રીતે જરૂરી માહિતી આપવાનું કહેવામાં આવે છે. આવકવેરા વિભાગ એવા કેસોની સંકલિત યાદી બહાર પાડે છે, જેમાં કરદાતાઓ સક્ષમ અધિકારી દ્વારા છૂટ રદ કરવા અથવા પાછી ખેંચી લેવા છતાં કરતાદાઓ મુક્તિ અથવા કપાતનો દાવો કરે છે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે એક્ટની કલમ 143(2) હેઠળ નોટિસ એનએએફએસી દ્વારા આવકવેરા ભરનારાઓને આપવામાં આવશે.

Related posts

મેન રોડ પર છે જમીન તો ખોલી શકો છો પેટ્રોલ પંપ, થશે છપ્પડફાડ કમાણી: જાણો સમગ્ર પ્રોસેસ

Ahmedabad Samay

આવકવેરા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વિતી ગયા બાદ પણ તમારા માટે રીટર્ન ભરવાનો છે મોકો

Ahmedabad Samay

મોબાઇલ લેતા પહેલા ધ્યાન માં રાખવા જેવી બાબતો ( ટેકનો. એક્સપર્ટ : સંજય બકુત્રા)

Ahmedabad Samay

પાન કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ નજીક, જો આ કામ નહીં કરવામાં આવે તો તમારે ભોગવવું પડશે નુકસાન

Ahmedabad Samay

ChatGPT ને ટક્કર આપવા રિલાયન્‍સ ઈન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા AI ટૂલ ‘Hanooman’ પર કામ કરી રહી છે, ટૂંક સમયમાં લોન્‍ચ કરવામાં આવશે.

Ahmedabad Samay

6 ભૂલ ક્યારેય પણ નથી બનવા દેતી ધનવાન, 1 પણ મિસ્ટેક એટલે મુશ્કેલીઓને આમંત્રણ આપવુ: સ્થિતિ થઈ જશે એકદમ કથળી

admin

એક ટિપ્પણી મૂકો