June 24, 2026
ગુજરાત

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે. આ વખતે આ સ્વાગત કાર્યક્રમ બે દિવસનો રહેશે જે માટે અરજીઓ કરવાની રહેશે.

૨૩મી ઓગસ્ટના રોજ તાલુકા કક્ષાનો અને ૨૪મી ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે. લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું છે.  જિલ્લા સ્વાગત કાર્યક્રમ માટેના પ્રશ્નોની લેખિત રજૂઆત ૧૦મી ઓગસ્ટ સુધીમાં કરવા અનુરોધ કરવા સૂચિત કરાયું છે.

અધિક નિવાસી અધિક કલેકટરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા
કક્ષાએ દર માસના ચોથા બુધવારે તથા જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

ઓગસ્ટ મહિનામાં તાલુકા કક્ષાએ તા. ૨૩ જુલાઈના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે આ ઉપરાંત બીજા દિવસે પણ તા. ૨૪ જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે.

અરજદારો જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો, ફરિયાદો જિલ્લા કલેક્ટરને મોકલી શકે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા, તાલુકા સ્વાગત કાર્યક્રમમાં તેનો આખરી નિકાલ કરી શકાય.

Related posts

અમદાવાદમાં ટાયર કિલર બંપ લાગવાની શરુઆત – રોંગ સાઈડમાં ગયા તો વાહનનું ટાયર ફાટ્યું સમજો

Ahmedabad Samay

BJP સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વિવિધ પ્રદેશ મોરચાઓના પ્રભારીઓની મહત્વની નિમણૂંક કરવામાં આવી

Ahmedabad Samay

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

Ahmedabad Samay

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪૪મી જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ થવા બદલ અભિનંદન આપ્યા

Ahmedabad Samay

એ.એમ.ટી.એસ. ચેરમેન શ્રી વલ્લભભાઇ પટેલે નરોડા બસ ટર્મિનલની મુલાકાત કરી

Ahmedabad Samay

કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો, નોઝ સ્પ્રે ૯૯.૯૯ ટકા કોરોના વાયરસને મારી નાંખે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો