April 30, 2026
ગુજરાત

પેટ્રોલના ભાવમાં ૧૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૨.૫૦ રૂપિયાનો વધારો વાળો ફેક પત્ર વાયરલ, જૂનો ભાવ યથાવત

સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો દસ્તાવેજ સંપૂર્ણપણે બનાવટી અને પાયાવિહોણો હોવાનું સામે આવ્યું છે.

આ નકલી આદેશમાં પેટ્રોલના ભાવમાં ૧૦ રૂપિયા અને ડીઝલના ભાવમાં ૧૨.૫૦ રૂપિયાનો વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, જે સત્તાવાર તપાસમાં ખોટો સાબિત થયો છે.

 

PIB અને મંત્રાલય દ્વારા સ્પષ્ટતા:

ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ના ફેક્ટ ચેક વિભાગે આ બાબતે તાત્કાલિક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા ૨૯ એપ્રિલના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા અંગેનો આવો કોઈ જ આદેશ કે પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી. પીઆઈબી એ આ વાયરલ થયેલા આદેશનું સત્તાવાર રીતે ખંડન કર્યું છે.

 

રાષ્ટ્રીય માધ્યમો દ્વારા પણ અહેવાલનું ખંડન:

હિન્દુસ્તાન ટાઈમ્સ, એનડીટીવી, ધ સ્ટેટ્સમેન અને ફોર્ચ્યુન ઇન્ડિયા જેવા અગ્રણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચાર માધ્યમોએ પણ સરકારના સત્તાવાર વર્તુળોને ટાંકીને આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. અહેવાલો મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ અને વર્તમાન માહોલ વચ્ચે જનતામાં ગભરાટ અને ગેરસમજ ઊભી કરવાના મેલા ઈરાદાથી કોઈ શરારતી તત્વો દ્વારા સરકારી લેટરપેડની નકલ કરીને આ નકલી દસ્તાવેજ તૈયાર કરવામાં આવ્યો છે.

 

જૂના ભાવો યથાવત:

વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી અને અગાઉના ભાવ જ યથાવત છે. સત્તાવાર વર્તુળોએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર ફરતી આવી પાયાવિહોણી અફવાઓ પર વિશ્વાસ ન કરવો. કોઈપણ સંવેદનશીલ માહિતીને શેર કરતા પહેલા માત્ર સત્તાવાર સરકારી વેબસાઈટ કે વિશ્વસનીય સમાચાર માધ્યમો પરથી તેની સત્યતા ચકાસી લેવી જરૂરી છે.

Related posts

ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્‍ટર સ્‍મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે થયું અવસાન

Ahmedabad Samay

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સ્થિતિ બગડી, બે નેશનલ હાઈવે બંધ, ગ્રામ્ય વિસ્તારના 303 રસ્તાઓ બંધ

Ahmedabad Samay

IPL નું ટાઇમટેબલ થયું જાહેર, ફાઇનલ મેચ રમાશે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં

Ahmedabad Samay

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્ષ પર વ્યાજ માફીની યોજના બહાર પાડી

Ahmedabad Samay

કાલે પીરાણા ખાતે આર એસ એસની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાનું આયોજન થશે

Ahmedabad Samay

કોર્પોરેટર શ્રી રાજેન્દ્રભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો